
પીએમ મોદીએ વીરભદ્ર મંદિરમાં પૂજા અર્ચના કરી સાથે જ પ્રાર્થના કરી કે દરેક દેશવાસી ખુશ રહે, સ્વસ્થ રહે અને સમૃદ્ધિની નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરે. લેપાક્ષીના વીરભદ્ર મંદિરમાં, રંગનાથ રામાયણ પણ સાંભળી.

17 જાન્યુઆરીએ પીએમ મોદીએ કેરલના ત્રિપયાર શ્રી રામાસ્વામી મંદિરે પહોંચ્યા હતા. અહીા તેમણે પૂજા અર્ચના કરી. સાથે જ સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ માણી હતી. પીએમ મોદીએ કલાકારો અને નાના નાના બટુકોને સન્માનિત પણ કર્યા. પીએમ મોદીએ અહીં મલયાલમમાં અધ્યાત્મ રામાયણના છંદ અને અન્ય ભજન સાંભળ્યા હતા.

ત્રિપયાર શ્રી રામાસ્વામી મંદિરની મુલાકાત અંગે પીએમ મોદીએ જણાવ્યુ કે પવિત્ર ગુરુવયૂર મંદિરમાં પ્રાર્થના કરી. આ મંદિરની દિવ્ય ઉર્જા અપરમ્પાર છે.
Published On - 10:55 pm, Fri, 19 January 24