
આ માટે માતાપિતા/વાલીએ 'રિક્વેસ્ટ' કરવી જરૂરી છે અને બેંક અથવા પોસ્ટ ઓફિસે સાબિત કરવું આવશ્યક છે કે, એકાઉન્ટ બંધ કરવા પાછળ વાસ્તવિક કારણ છે. 'Premature Closure Condition'ની વાત કરીએ તો, બાળકના ઉચ્ચ શિક્ષણ માટે ખાતું બંધ કરી શકાય છે. આ માટે બાળકના માતા-પિતાએ માન્ય સંસ્થાનો પ્રવેશનો પુરાવો આપવો પડશે.

બીજું કે, જો ખાતાધારક (પુખ્ત કે બાળક), જીવનસાથી કે બાળકો જીવલેણ બીમારીથી પીડાતા હોય તો પણ ખાતું બંધ કરી શકાય છે. અંતે, જો ખાતાધારક NRI બને તો પણ ખાતું બંધ કરી શકાય છે. જો 5 વર્ષ પૂર્ણ થયા પછી ખાતું બંધ કરવામાં આવે તો વ્યાજ મળતું રહેશે પરંતુ સરકાર તેના વ્યાજમાંથી અમુક રકમ (1% થી 2%) કાપી શકે છે.