
કપાસના કપડામાં થોડું સિંધવ મીઠું ભરીને એક નાની પોટલી બનાવો. મુખ્ય દરવાજાની અંદર બાજુએ એ પોટલી લટકાવો. આ મીઠું ઘરમાં પ્રવેશતી કોઈપણ નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને સકારાત્મક ઉર્જાના પ્રવાહને જાળવી રાખે છે. (Credits: - Canva)

દર બુધવાર કે શનિવારના દિવસે મીઠાના પાણીથી પ્રવેશદ્વારની આસપાસ 3 થી 4 વાર મીઠાના પાણીનો છંટકાવ કરો. આમ કરવાથી તમારા ઘરમાં પ્રવેશતી કોઈપણ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. (Credits: - Canva)

રસોડું ઘરની શક્તિનું કેન્દ્ર છે, અહીં ખુલ્લું મીઠું રાખવું ટાળવું જોઈએ. પણ દર 15 દિવસે એક વખત રસોડાનું ઉર્જા શુદ્ધિકરણ કરવા માટે મીઠા પાણીથી પોતું કરો. (Credits: - Canva)

રાતે ઊંઘ દરમિયાન ઊર્જા શાંત રહે તે માટે બેડના ખૂણે, ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ (South-West) દિશામાં, એક નાનું મીઠાવાળું બાઉલ રાખી શકાય. આ ઉપાય મનની શાંતિ, ઊંઘની ગુણવત્તા અને દંપતિમાં સુમેળ લાવે છે. (Credits: - Canva)

મીઠાનો ઉપયોગ કર્યા પછી દરરોજ દીવો (ઘી અથવા તેલનો) પણ પ્રવેશદ્વાર પાસે પ્રગટાવો, “પ્રકાશ” અને “ઉર્જા” બે મિત્રો સમાન છે. દરવાજા પાસે તુલસીનો છોડ અથવા શંખ પણ રાખો તો નકારાત્મક ઉર્જા રોકાય છે. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) (Credits: - Canva)
Published On - 5:11 pm, Sun, 13 April 25