Disha Thakar |
Jul 25, 2024 | 4:11 PM
આપણે ઘણીવાર વિવિધ કાર્યોમાં પાનનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે નાગરવેલના પાન ચાવીને ખાવાથી પણ અઢળક ફાયદાઓ થાય છે. આ પાનના વેલાને ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે.
નાગરવેલને ઉગાડવા માટે બીજ, ખાતર, માટી, પાણી અને કૂંડાની જરુર પડશે. હવે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો.તેમાં સારી ગુણવત્તાની માટી અને થોડું છાણિયુ ખાતર ભરો.
વેલો ઉગાડવા માટે ઉત્તમ ગુણવત્તાના બીજ લો. હવે તેને 2 થી 3 ઈંચ ઉંડાઈએ મુકી તેના પર માટી નાખી અને પાણી પીવડાવો. આ કૂંડાને સૂર્યપ્રકાશમાં મુકો.
મિશ્રણમાં સમયાંતરે પાણી ઉમેરતા રહો. લગભગ 2 અઠવાડિયા પછી બીજ અંકુરિત થવાનું શરૂ કરશે. બીજ અંકુરિત થયા પછી કૂંડામાં ખાતર ઉમેરો અને પછી પાણી ઉમેરો.
જ્યારે 3 થી 4 અઠવાડિયા પસાર થઈ જાય ત્યારે કૂંડાની મધ્યમાં એક લાકડી મૂકો જેથી વેલને ટેકો મળી શકે. તમે જોશો કે લગભગ 3 થી 4 અઠવાડિયા પછી નાગરવેલના પાન ઉગવાના શરુ થશે. પછી તમે તેનો ઉપયોગ પૂજા અને ભોજન માટે કરી શકો છો.