
આ સિવાય જ્યારે સમય ઓછો હોય અને તમારે જલ્દી તમારા દેશમાં પરત ફરવું હોય, ત્યારે Embassy એક Emergency Certificate ઇસ્યુ કરે છે. આ એક વખતનો મુસાફરી દસ્તાવેજ હોય છે, જે તમને સીધા ભારત પાછા ફરવાની મંજૂરી આપે છે. તે પાસપોર્ટનું સ્થાન લેતું નથી પરંતુ ઘરે પાછા ફરવા માટેની સૌથી ઝડપી ટિકિટ છે. આ માટે તમારે પોલીસ રિપોર્ટ, આધાર કાર્ડ અથવા પાન કાર્ડ, પાસપોર્ટ ફોટો અને એપ્લિકેશન ફીની જરૂર પડશે.

જો તમારા પ્રવાસની યોજના હજુ પણ ચાલુ છે અને તમે મુસાફરી આગળ વધારવા માંગો છો, તો દૂતાવાસ તમારા માટે નવો તાત્કાલિક (ટેમ્પરરી) પાસપોર્ટ પણ ઇસ્યુ કરી શકે છે. આ પ્રોસેસને ઇમરજન્સી સર્ટિફિકેટ કરતાં થોડો વધુ સમય લાગે છે, કારણ કે તેમાં તમારી ઓળખની વધુ વિગતવાર ચકાસણીની જરૂર પડતી હોય છે.

એકવાર ઇમરજન્સી સર્ટિફિકેટ ઇસ્યુ થઈ જાય પછી તમને ઘરે પાછા ફરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવે છે. તમે હંમેશની જેમ તમારી ફ્લાઇટ બુક કરાવી શકો છો. ધ્યાન રાખો કે, એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ તમારા ઇમરજન્સી સર્ટિફિકેટને પોલીસ રિપોર્ટ સાથે ક્રોસ-વેરિફાઇ કરશે.

નિષ્ણાતો હંમેશા તમારા પાસપોર્ટની ફોટોકોપી સાથે રાખવાની અને ઈમેલ અથવા ક્લાઉડ સ્ટોરેજ દ્વારા ડિજિટલ કોપી સાચવવાની ભલામણ કરે છે. આ કોપી એમ્બેસી વેરિફિકેશન માટે ખૂબ જ મદદરૂપ બને છે.
Published On - 7:23 pm, Mon, 1 December 25