
આ બેઠક 10 અને 11 ઓક્ટોબરના રોજ યોજાશે, જેની અધ્યક્ષતા શ્રમ અને રોજગાર મંત્રી 'મનસુખ માંડવિયા' કરશે. બેઠકનો એજન્ડા હજુ નક્કી થયો નથી પરંતુ માહિતી અનુસાર 'EPFO 3.0' અને 'પેન્શન વધારો' બંને પર ઊંડાણપૂર્વક વિચારણા કરવામાં આવશે. આ બોર્ડમાં કર્મચારીઓ, નોકરીદાતાઓ અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ પણ જોડાયેલા હશે.

ટ્રેડ યુનિયનનું કહેવું છે કે, ATM અને UPI થકી પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ કરવાની મંજૂરી મળશે તો બચત કરવાનો હેતુ નબળો પડી જશે. આથી PFમાંથી ઉપાડ ફક્ત શિક્ષણ, લગ્ન, સારવાર અને ઘર ખરીદી જેવી જરૂરિયાતો માટે જ હોવો જોઈએ.

સરકાર દિવાળી પહેલા લગભગ 8 કરોડ EPFO ખાતાધારકોને આ પહેલનો લાભ આપશે તેવી શક્યતા છે. EPFOની આ નવી પહેલ લોકોને વધુ સરળ અને સુવિધાજનક સેવા પૂરી પાડશે તેવું માનવામાં આવી રહી છે.
Published On - 3:48 pm, Fri, 12 September 25