Navratri 2024 colors day wise list : દેવી દુર્ગા આ બ્રહ્માંડના રક્ષક છે. સમયાંતરે તેમણે વિવિધ રૂપ ધારણ કરીને પોતાના ભક્તોની રક્ષા કરી છે. જ્યારે પણ દુષ્ટતાનો પ્રકોપ વધતો ત્યારે સર્વશક્તિમાન માતા દુર્ગા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંધ માતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીના રૂપમાં આવી અને રાક્ષસોનો સંહાર કરીને પ્રકૃતિ અને સૃષ્ટિને બચાવી છે. અમે તમને અહીં જણાવીશું કે નવરાત્રિ દરમિયાન કયા દિવસે મા દુર્ગાના કયા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમજ આ દિવસોમાં કયા રંગના કપડાં પહેરવાથી ભક્તો પર વિશેષ કૃપા થાય છે. ચાલો જાણીએ નવરાત્રિના કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા જોઈએ.