History of city name : નાસિકના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થિત નાસિક જિલ્લાનું મુખ્ય મથક છે, જે ગોદાવરી નદીના કિનારે આવેલું છે. રામાયણ મહાગ્રંથમાં આવતા પંચવટી ક્ષેત્રમાં આવેલું હોવાને કારણે, નાસિક હિંદુ ધર્મનું એક મહત્વપૂર્ણ તીર્થસ્થળ માનવામાં આવે છે.

| Updated on: Jul 07, 2025 | 8:36 PM
1 / 7
નાસિકના નામકરણ વિશે બે જુદા મત જોવા મળે છે. એક મુજબ, આ શહેરનું નામ 'નવશિ' એટલે કે નવ શિખરોના સંગમને આધારે પડ્યું હોવાનું કહેવાય છે, જે સમય સાથે 'નાસિક'માં રૂપાંતરિત થયું. બીજો મત રામાયણ સાથે સંકળાયેલો છે, જેમાં જણાવાયું છે કેજ્યારે રામ, તેમની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ પંચવટી વિસ્તારમાં નિવાસ કર્યો હતો, ત્યારે લક્ષ્મણે રાવણની બહેન શૂર્પણખાનું નાક કાપ્યું હતું, જેના આધારે સ્થળને 'નાસિક' કહેવામાં આવ્યું.

નાસિકના નામકરણ વિશે બે જુદા મત જોવા મળે છે. એક મુજબ, આ શહેરનું નામ 'નવશિ' એટલે કે નવ શિખરોના સંગમને આધારે પડ્યું હોવાનું કહેવાય છે, જે સમય સાથે 'નાસિક'માં રૂપાંતરિત થયું. બીજો મત રામાયણ સાથે સંકળાયેલો છે, જેમાં જણાવાયું છે કેજ્યારે રામ, તેમની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ પંચવટી વિસ્તારમાં નિવાસ કર્યો હતો, ત્યારે લક્ષ્મણે રાવણની બહેન શૂર્પણખાનું નાક કાપ્યું હતું, જેના આધારે સ્થળને 'નાસિક' કહેવામાં આવ્યું.

2 / 7
ગોદાવરી નદી નાસિક અને પંચવટી વિસ્તારમાંથી પસાર થાય છે અને અહીં તે નવ ટેકરીઓ વચ્ચે વહે છે. સંસ્કૃતમાં 'શિખા'નો અર્થ ટેકરી થતો હોઈ, એવું માનવામાં આવે છે કે 'નવ શિખા' પરથી શહેરનું નામ સમય જતા 'નાસિક' થયું. પ્રાચીન કાળથી, નાસિક શહેર અને આસપાસનો વિસ્તાર વિવિધ નામોથી ઓળખાયો છે જેમ કે જનસ્થાન, ત્રિકૂટ, ગુલશનાબાદ અને નાસિક. પ્રાચીન સમયમાં નાસિક ધાર્મિક મહત્વ ધરાવતું સ્થાન માનવામાં આવતું હતું. (Credits: - Wikipedia)

ગોદાવરી નદી નાસિક અને પંચવટી વિસ્તારમાંથી પસાર થાય છે અને અહીં તે નવ ટેકરીઓ વચ્ચે વહે છે. સંસ્કૃતમાં 'શિખા'નો અર્થ ટેકરી થતો હોઈ, એવું માનવામાં આવે છે કે 'નવ શિખા' પરથી શહેરનું નામ સમય જતા 'નાસિક' થયું. પ્રાચીન કાળથી, નાસિક શહેર અને આસપાસનો વિસ્તાર વિવિધ નામોથી ઓળખાયો છે જેમ કે જનસ્થાન, ત્રિકૂટ, ગુલશનાબાદ અને નાસિક. પ્રાચીન સમયમાં નાસિક ધાર્મિક મહત્વ ધરાવતું સ્થાન માનવામાં આવતું હતું. (Credits: - Wikipedia)

3 / 7
સન 1487 પછી, જ્યારે મુગલોએ નાસિક ઉપર કબ્જો કર્યો, ત્યારે તેમણે આ શહેરને 'ગુલશનાબાદ' નામ આપ્યું, જેનો અર્થ થાય છે 'ફૂલો અને બાગોનું શહેર'. નાસિક મુગલ શાસન હેઠળ આશરે 1818 સુધી રહ્યું.

સન 1487 પછી, જ્યારે મુગલોએ નાસિક ઉપર કબ્જો કર્યો, ત્યારે તેમણે આ શહેરને 'ગુલશનાબાદ' નામ આપ્યું, જેનો અર્થ થાય છે 'ફૂલો અને બાગોનું શહેર'. નાસિક મુગલ શાસન હેઠળ આશરે 1818 સુધી રહ્યું.

4 / 7
તે વર્ષે પેશ્વાઓએ મુગલો સામે યુદ્ધ લડીને શહેર પર પોતાનું શાસન સ્થાપિત કર્યું અને તેનું નામ ફરીથી 'નાસિક' રાખવામાં આવ્યું. જો કે, પેશ્વાઓએ વધારે સમય સુધી નાસિક પર પોતાનું શાસન જાળવી શક્યું નહીં અને થોડા જ સમય બાદ બ્રિટિશ સત્તાનું શાસન અહીં શરૂ થયું.

તે વર્ષે પેશ્વાઓએ મુગલો સામે યુદ્ધ લડીને શહેર પર પોતાનું શાસન સ્થાપિત કર્યું અને તેનું નામ ફરીથી 'નાસિક' રાખવામાં આવ્યું. જો કે, પેશ્વાઓએ વધારે સમય સુધી નાસિક પર પોતાનું શાસન જાળવી શક્યું નહીં અને થોડા જ સમય બાદ બ્રિટિશ સત્તાનું શાસન અહીં શરૂ થયું.

5 / 7
બ્રિટિશ સમયમાં નાસિકે ઘણા નેતાઓ આપ્યા જેમ કે વિનાયક દામોદર સાવરકર જેમણે નાસિકમાં બ્રિટિશ સામે સશસ્ત્ર વિરૂધ્ધ ચલાવ્યું હતું. સન 1947માં ભારતના વિભાજન સમયે, અનેક સિંધી પરિવારો નાસિક ખાતે આવી વસ્યા અને આ શહેરને પોતાનું નવું નિવાસસ્થાન બનાવ્યું. ( Credits: Getty Images )

બ્રિટિશ સમયમાં નાસિકે ઘણા નેતાઓ આપ્યા જેમ કે વિનાયક દામોદર સાવરકર જેમણે નાસિકમાં બ્રિટિશ સામે સશસ્ત્ર વિરૂધ્ધ ચલાવ્યું હતું. સન 1947માં ભારતના વિભાજન સમયે, અનેક સિંધી પરિવારો નાસિક ખાતે આવી વસ્યા અને આ શહેરને પોતાનું નવું નિવાસસ્થાન બનાવ્યું. ( Credits: Getty Images )

6 / 7
નાસિકને આંબેડકર ચળવળના મહત્વના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ધરતી પર દાદાસાહેબ ગાયકવાડ જેવા મહાન સમાજ સુધાકરનો જન્મ થયો હતો. ભારતમાં યોજાતા ચાર મહાકુંભ મેળાઓ પૈકી સિંહસ્થ કુંભ મેળાનું આયોજન નાસિકમાં થાય છે,જે દર 12 વર્ષે અહીં વિશાળ પવિત્ર તીર્થમેળા તરીકે ઉજવાય છે. ( Credits: Getty Images )

નાસિકને આંબેડકર ચળવળના મહત્વના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ધરતી પર દાદાસાહેબ ગાયકવાડ જેવા મહાન સમાજ સુધાકરનો જન્મ થયો હતો. ભારતમાં યોજાતા ચાર મહાકુંભ મેળાઓ પૈકી સિંહસ્થ કુંભ મેળાનું આયોજન નાસિકમાં થાય છે,જે દર 12 વર્ષે અહીં વિશાળ પવિત્ર તીર્થમેળા તરીકે ઉજવાય છે. ( Credits: Getty Images )

7 / 7
આજે નાસિક મહારાષ્ટ્ર રાજ્યનું મહત્વપૂર્ણ શહેર છે. નાસિક "દ્રાક્ષ નગરી" તરીકે પણ ઓળખાય છે, કારણ કે અહીં દેશની સૌથી વધુ દ્રાક્ષ અને વાઇનનું ઉત્પાદન થાય છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)  ( Credits: Getty Images )

આજે નાસિક મહારાષ્ટ્ર રાજ્યનું મહત્વપૂર્ણ શહેર છે. નાસિક "દ્રાક્ષ નગરી" તરીકે પણ ઓળખાય છે, કારણ કે અહીં દેશની સૌથી વધુ દ્રાક્ષ અને વાઇનનું ઉત્પાદન થાય છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) ( Credits: Getty Images )

Published On - 5:26 pm, Mon, 7 July 25