
તે વર્ષે પેશ્વાઓએ મુગલો સામે યુદ્ધ લડીને શહેર પર પોતાનું શાસન સ્થાપિત કર્યું અને તેનું નામ ફરીથી 'નાસિક' રાખવામાં આવ્યું. જો કે, પેશ્વાઓએ વધારે સમય સુધી નાસિક પર પોતાનું શાસન જાળવી શક્યું નહીં અને થોડા જ સમય બાદ બ્રિટિશ સત્તાનું શાસન અહીં શરૂ થયું.

બ્રિટિશ સમયમાં નાસિકે ઘણા નેતાઓ આપ્યા જેમ કે વિનાયક દામોદર સાવરકર જેમણે નાસિકમાં બ્રિટિશ સામે સશસ્ત્ર વિરૂધ્ધ ચલાવ્યું હતું. સન 1947માં ભારતના વિભાજન સમયે, અનેક સિંધી પરિવારો નાસિક ખાતે આવી વસ્યા અને આ શહેરને પોતાનું નવું નિવાસસ્થાન બનાવ્યું. ( Credits: Getty Images )

નાસિકને આંબેડકર ચળવળના મહત્વના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ધરતી પર દાદાસાહેબ ગાયકવાડ જેવા મહાન સમાજ સુધાકરનો જન્મ થયો હતો. ભારતમાં યોજાતા ચાર મહાકુંભ મેળાઓ પૈકી સિંહસ્થ કુંભ મેળાનું આયોજન નાસિકમાં થાય છે,જે દર 12 વર્ષે અહીં વિશાળ પવિત્ર તીર્થમેળા તરીકે ઉજવાય છે. ( Credits: Getty Images )

આજે નાસિક મહારાષ્ટ્ર રાજ્યનું મહત્વપૂર્ણ શહેર છે. નાસિક "દ્રાક્ષ નગરી" તરીકે પણ ઓળખાય છે, કારણ કે અહીં દેશની સૌથી વધુ દ્રાક્ષ અને વાઇનનું ઉત્પાદન થાય છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) ( Credits: Getty Images )
Published On - 5:26 pm, Mon, 7 July 25