
ચોમાસાની ઋતુમાં ચેપજન્ય રોગો, પાચન સંબંધિત સમસ્યાઓ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ વધી જાય છે. ચોમાસામાં પાણી અને વાસી ખોરાકથી ફેલાતી બીમારીઓનું જોખમ વધુ રહે છે. તેથી હંમેશા શુદ્ધ અથવા હુંફાળું પાણી પીવાનું રાખો. (Image Source | iStock)

લાંબા સમય સુધી ખુલ્લામાં રાખેલો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. હંમેશા તાજું અને ઘરનું બનાવેલું ભોજન લેવું જરૂરી છે. વાસી ખોરાકથી દૂર રહો. ફળ અને શાકભાજીને સારી રીતે ધોઈને જ ઉપયોગમાં લેવું જોઈએ. (Image Source | iStock)

ચોમાસામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી જરૂરી છે. તેના માટે વિટામિન C અને એન્ટીઑક્સિડન્ટથી ભરપૂર ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. (Image Source | iStock)

હળવો અને સરળતાથી પચી જાય એવો ખોરાક જેમ કે સૂપ, ખીચડી અને તાજા શાકભાજીથી બનેલી વાનગીઓ ખાવી જોઈએ. તળેલા ખોરાક અને ઠંડા પીણાંથી દૂર રહેવું. (Image Source | iStock)

ચોમાસામાં તરસ ઓછી લાગતી હોવા છતાં દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જરૂરી છે. પૂરતો આરામ કરો, તણાવ ઓછો રાખો અને ઘરની અંદર કરી શકાય તેવી કસરત અથવા શારીરિક પ્રવૃત્તિ ચાલુ રાખવી. (Image Source | iStock)

ચોમાસામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું. જમતા પહેલાં અને બહારથી ઘરે આવ્યા પછી સાબુથી હાથ ધોવા જોઈએ. જો સાબુ ઉપલબ્ધ ન હોય તો હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકાય છે. ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખો. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)