
જે વ્યક્તિઓની કુંડળીમાં મંગલ દોષ હોય છે, તેમણે તેમના લગ્ન પહેલા વિષ્ણુ વિવાહ કરવા જોઈએ. આ ઉપરાંત પીપળાના ઝાડ સાથે પ્રતીકાત્મક લગ્ન કરી શકે છે અથવા માટીના ઘડા સાથે પ્રતીકાત્મક લગ્ન કરી શકે છે.

મંગળ દોષની અસરો ને ઓછી કરવા અથવા તેના પ્રભાવથી બચવા માટે લગ્ન પછી નિયમિત રીતે હનુમાન મંદિરમાં મધ ચઢાવવુ જોઈએ.

દર મંગળવારે 40 પતાશા લઈ તેને દર મંગળવારે વહેતા પાણીમાં પધરાવવા જોઈએ, આવુ કરવાથી મંગલ દોષનો પ્રભાવ ઓછો કરી શકાય છે.

મંગલ દોષ નિવારવા માટે, દર મંગળવારે લાલ મસૂરની દાળનું દાન કરો

મંગળ દોષના પ્રભાવને ઓછો કરવા માટે, તમે મંગળવારનુ વ્રત પણ કરી શકો છો. વધુમાં, તમે દર મંગળવારે નિયમિત રીતે હનુમાન ચાલીસા નો પાઠ કરી શકો છો.

મંગલ દોષના પ્રભાવને ઓછો કરવા માટે, તમે રોજ સવારે રૂદ્રાક્ષની માળાથી 'ओम क्रां क्रीं क्रौं सः भौमाय नमः' નો જાપ કરી શકો છો.

એવું માનવામાં આવે છે કે મંગળદોષ ની પ્રતિકૂળ અસરો 28 થી 30 વર્ષની ઉંમર વચ્ચે ઓછી થઈ જાય છે. તેથી, આ ઉંમર પછી લગ્ન કરવા શુભ માનવામાં આવે છે.

કુંડલીમાં મંગળદોષના પ્રભાવને કારણે લગ્નમાં વિલંબ, લગ્ન વિચ્છેદ, જીવનસાથી સાથે કોઈને કોઈ વાતને લઈને તણાવ, વૈવાહિક જીવનમાં કોઈને કોઈ મતભેદ તરફ દોરી શકે છે. માંગલિક વ્યક્તિને ક્રોધ બહુ આવે છે. માંગલિક દોષ હોવાને કારણે વ્યક્તિને સંપતિ અને જમીન મામલામાં ઘણા સંઘર્ષનો સામનો કરવો પડે છે. સાથે જ મંગળ દોષવાળી વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
Published On - 4:39 pm, Tue, 21 April 26