કુંડલીમાં મંગલદોષનો પ્રભાવ હોય તો આ ઉપાયો દ્વારા મેળવો રાહત- વાંચો

જ્યોતિશ શાસ્ત્ર અનુસાર જ્યારે કુંડળીમાં પહેલા, ચોથા, સાતમા અને બારમાં ભાવમાં મંગળ હોય તો કુંડલીમાં મંગળ દોષ લાગે છે. મંગળ દોષ હોવાને કારણે વ્યક્તિને જીવનમાં કલેહ, કંકાસ અને તણાવનો સામનો કરવો પડી શકે છે. જો કે માંગલિક શબ્દ સાંભળતા જ લોકો થોડા ડરી જાય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ તે એક વિશેષ સ્થિતિ છે જે ચોક્કસ ગ્રહોની રચનાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કુંડલીમાંથી મંગળદોષના પ્રભાવને ઓછો કરવા માટે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આવો જાણીએ જ્યોતિશ મધુ પ્રિયાએ સૂચવેલા ઉપાયો

| Updated on: Apr 21, 2026 | 4:54 PM
1 / 8
જે વ્યક્તિઓની કુંડળીમાં મંગલ દોષ હોય છે, તેમણે તેમના લગ્ન પહેલા વિષ્ણુ વિવાહ કરવા જોઈએ. આ ઉપરાંત પીપળાના ઝાડ સાથે પ્રતીકાત્મક લગ્ન કરી શકે છે અથવા માટીના ઘડા સાથે પ્રતીકાત્મક લગ્ન કરી શકે છે.

જે વ્યક્તિઓની કુંડળીમાં મંગલ દોષ હોય છે, તેમણે તેમના લગ્ન પહેલા વિષ્ણુ વિવાહ કરવા જોઈએ. આ ઉપરાંત પીપળાના ઝાડ સાથે પ્રતીકાત્મક લગ્ન કરી શકે છે અથવા માટીના ઘડા સાથે પ્રતીકાત્મક લગ્ન કરી શકે છે.

2 / 8
મંગળ દોષની અસરો ને ઓછી કરવા અથવા તેના પ્રભાવથી બચવા માટે લગ્ન પછી  નિયમિત રીતે હનુમાન મંદિરમાં મધ ચઢાવવુ જોઈએ.

મંગળ દોષની અસરો ને ઓછી કરવા અથવા તેના પ્રભાવથી બચવા માટે લગ્ન પછી નિયમિત રીતે હનુમાન મંદિરમાં મધ ચઢાવવુ જોઈએ.

3 / 8
દર મંગળવારે 40 પતાશા લઈ તેને દર મંગળવારે વહેતા પાણીમાં પધરાવવા જોઈએ, આવુ કરવાથી મંગલ દોષનો પ્રભાવ ઓછો કરી શકાય છે.

દર મંગળવારે 40 પતાશા લઈ તેને દર મંગળવારે વહેતા પાણીમાં પધરાવવા જોઈએ, આવુ કરવાથી મંગલ દોષનો પ્રભાવ ઓછો કરી શકાય છે.

4 / 8
મંગલ દોષ નિવારવા માટે, દર મંગળવારે લાલ મસૂરની દાળનું દાન કરો

મંગલ દોષ નિવારવા માટે, દર મંગળવારે લાલ મસૂરની દાળનું દાન કરો

5 / 8
મંગળ દોષના પ્રભાવને ઓછો કરવા માટે, તમે મંગળવારનુ વ્રત પણ કરી શકો છો.  વધુમાં, તમે દર મંગળવારે નિયમિત રીતે  હનુમાન ચાલીસા નો પાઠ કરી શકો છો.

મંગળ દોષના પ્રભાવને ઓછો કરવા માટે, તમે મંગળવારનુ વ્રત પણ કરી શકો છો. વધુમાં, તમે દર મંગળવારે નિયમિત રીતે હનુમાન ચાલીસા નો પાઠ કરી શકો છો.

6 / 8
મંગલ દોષના પ્રભાવને ઓછો કરવા માટે, તમે રોજ સવારે રૂદ્રાક્ષની માળાથી 'ओम क्रां क्रीं क्रौं सः भौमाय नमः' નો જાપ કરી શકો છો.

મંગલ દોષના પ્રભાવને ઓછો કરવા માટે, તમે રોજ સવારે રૂદ્રાક્ષની માળાથી 'ओम क्रां क्रीं क्रौं सः भौमाय नमः' નો જાપ કરી શકો છો.

7 / 8
એવું માનવામાં આવે છે કે  મંગળદોષ ની પ્રતિકૂળ અસરો 28 થી 30 વર્ષની ઉંમર વચ્ચે ઓછી થઈ જાય છે. તેથી, આ ઉંમર પછી લગ્ન કરવા શુભ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે મંગળદોષ ની પ્રતિકૂળ અસરો 28 થી 30 વર્ષની ઉંમર વચ્ચે ઓછી થઈ જાય છે. તેથી, આ ઉંમર પછી લગ્ન કરવા શુભ માનવામાં આવે છે.

8 / 8
કુંડલીમાં મંગળદોષના પ્રભાવને કારણે લગ્નમાં વિલંબ, લગ્ન વિચ્છેદ, જીવનસાથી સાથે કોઈને કોઈ વાતને લઈને તણાવ, વૈવાહિક જીવનમાં કોઈને કોઈ મતભેદ તરફ દોરી શકે છે. માંગલિક વ્યક્તિને ક્રોધ બહુ આવે છે. માંગલિક દોષ હોવાને કારણે વ્યક્તિને સંપતિ અને જમીન મામલામાં ઘણા સંઘર્ષનો સામનો કરવો પડે છે. સાથે જ મંગળ દોષવાળી વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

કુંડલીમાં મંગળદોષના પ્રભાવને કારણે લગ્નમાં વિલંબ, લગ્ન વિચ્છેદ, જીવનસાથી સાથે કોઈને કોઈ વાતને લઈને તણાવ, વૈવાહિક જીવનમાં કોઈને કોઈ મતભેદ તરફ દોરી શકે છે. માંગલિક વ્યક્તિને ક્રોધ બહુ આવે છે. માંગલિક દોષ હોવાને કારણે વ્યક્તિને સંપતિ અને જમીન મામલામાં ઘણા સંઘર્ષનો સામનો કરવો પડે છે. સાથે જ મંગળ દોષવાળી વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Published On - 4:39 pm, Tue, 21 April 26

Follow Us