
તેમ છતાં, સહાનુભૂતિના આધારે માસિક 8,000 રૂપિયાનું ભરણપોષણ નક્કી કરવામાં આવ્યું હતું, જે CrPCની કલમ 125(4) ની જોગવાઈનું ઉલ્લંઘન છે.

હાઈકોર્ટે પતિની દેખરેખ અરજી સ્વીકારીને, 17 ફેબ્રુઆરીના રોજ ફેમિલી કોર્ટના આદેશને ભરણપોષણની મૂળભૂત જોગવાઈઓથી વિપરીત ગણાવીને રદ કર્યો અને કેસને ફરીથી નિર્ણય માટે ફેમિલી કોર્ટ, મેરઠમાં મોકલવાનો નિર્દેશ આપ્યો હતો.

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, જો કોઈ મહિલા કોઈ નક્કર અને માન્ય કારણ વગર તેના પતિથી અલગ રહે છે, તો તે ભરણપોષણ મેળવવા માટે હકદાર રહેશે નહીં. મેરઠના રહેવાસી વિપલ અગ્રવાલની અરજી પર સુનાવણી કરતી વખતે આ નિર્ણય આપવામાં આવ્યો.

પત્ની પતિ અને સાસરિયાઓથી અલગ રહે તો ભરણપોષણ મેળવવા માટે હકદાર નહી

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)
Published On - 7:20 am, Tue, 15 July 25