કાનુની સવાલ: ખબર પડી ગઈ! ફૂટપાથ પર કોનો અધિકાર છે, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ નિર્ણય

કાનુની સવાલ: સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ અરજી રાહદારીઓની સલામતી સાથે સંબંધિત છે અને જો કેન્દ્ર સરકાર માર્ગદર્શિકા તૈયાર નહીં કરે તો કોર્ટ પોતે વકીલોની મદદથી જરૂરી પગલાં લેશે.

| Updated on: Aug 05, 2025 | 12:54 PM
4 / 6
હજુ સુધી કોઈ માર્ગદર્શિકા નથી: કોર્ટ સલાહકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા પદયાત્રીઓના ફૂટપાથ પર ચાલવાના અધિકાર અંગે હજુ સુધી કોઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશ અભય મનોહર સપ્રેની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે જે માર્ગ સલામતી સંબંધિત વિવિધ આદેશોના અમલીકરણ પર દેખરેખ રાખશે. તેમણે સૂચન કર્યું કે માર્ગદર્શિકા બન્યા પછી આ સમિતિ તેમના અમલીકરણનું નિરીક્ષણ શરૂ કરી શકે છે.

હજુ સુધી કોઈ માર્ગદર્શિકા નથી: કોર્ટ સલાહકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા પદયાત્રીઓના ફૂટપાથ પર ચાલવાના અધિકાર અંગે હજુ સુધી કોઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશ અભય મનોહર સપ્રેની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે જે માર્ગ સલામતી સંબંધિત વિવિધ આદેશોના અમલીકરણ પર દેખરેખ રાખશે. તેમણે સૂચન કર્યું કે માર્ગદર્શિકા બન્યા પછી આ સમિતિ તેમના અમલીકરણનું નિરીક્ષણ શરૂ કરી શકે છે.

5 / 6
રાહદારીઓ માટે મહત્વપૂર્ણ: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, નાગરિકો માટે યોગ્ય ફૂટપાથ જરૂરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને છ મહિનાની અંદર રાષ્ટ્રીય માર્ગ સલામતી બોર્ડ બનાવવાનો નિર્દેશ આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે હવે વધુ સમય આપવામાં આવશે નહીં. આ કેસમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે કે રાહદારીઓ માટે ફૂટપાથ પૂરા પાડવા જરૂરી છે. કારણ કે ફૂટપાથ મેળવવો તેમનો મૂળભૂત અધિકાર છે. આ નિર્ણય ચોક્કસપણે રાહદારીઓના જીવનની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

રાહદારીઓ માટે મહત્વપૂર્ણ: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, નાગરિકો માટે યોગ્ય ફૂટપાથ જરૂરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને છ મહિનાની અંદર રાષ્ટ્રીય માર્ગ સલામતી બોર્ડ બનાવવાનો નિર્દેશ આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે હવે વધુ સમય આપવામાં આવશે નહીં. આ કેસમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે કે રાહદારીઓ માટે ફૂટપાથ પૂરા પાડવા જરૂરી છે. કારણ કે ફૂટપાથ મેળવવો તેમનો મૂળભૂત અધિકાર છે. આ નિર્ણય ચોક્કસપણે રાહદારીઓના જીવનની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

6 / 6
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)