
શું કઈ પોલીસવાળો કોઈ પણ વ્યક્તિ પર ગોળી ચલાવી શકે? આ એક સવાલ એટલા માટે છે કારણ કે, હાલમાં અમદાવાદમાં દુષ્કર્મના આરોપી પર પોલીસકર્મચારીએ ગોળી મારી હતી. આ ગોળી આરોપીના પગમાં વાગી હતી.

પંચનામા દરમિયાન આરોપીએ અચાનક પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીને રોકવા જતાં ઝપાઝપી થઈ હતી, જેમાં એક કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી. આરોપી પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એટલા માટે પોલીસે ગોળી ચલાવી હતી.

હવે આપણે જાણીએ કે, શું પોલીસ કોઈ પણ વ્યક્તિ પર ગોળી ચલાવી શકે છે. તો તેની 2 સ્થિતિ છે. પહેલી કોઈ પણ આરોપી ધરપકડથી ભાગી રહ્યો છે અને બીજી સ્થિતિમાં પોલીસ આત્મરક્ષા માટે ગોળી ચલાવી શકે છે.

જો કોઈ ખતરનાક ગુનેગાર ગંભીર આરોપો (જેમ કે હત્યા અથવા હત્યાનો પ્રયાસ) નો સામનો કરી રહ્યો હોય અને પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાનો પ્રયાસ કરે અથવા પોલીસ પર હુમલો કરે તો પોલીસ ગોળી ચલાવી શકે છે.

ગોળી ચલાવવાને લઈ કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન નથી. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિઝરની કલમ 46 હેઠળ જો કોઈ પણ આરોપી ધરપકડનો વિરોધ કરે છે અથવા ધરપકડથી બચવા માટે પ્રયત્ન કરે છે. તો પોલીસ ધરપકડ કરવા માટે કાંઈ પણ કરી છે.

ભારતીય દંડ સંહિતાની કલમ 100માં જોગવાઈ છે કે કોઈ વ્યક્તિ સ્વ-બચાવમાં બીજા વ્યક્તિનો જીવ લઈ શકે છે. જોકે, આનો અર્થ એ નથી કે, કોઈની પણ ઇચ્છા મુજબ હત્યા કરી શકાય છે. 6 પરિસ્થિતિઓ નક્કી કરવામાં આવી છે જેમાં સ્વ-બચાવમાં જીવ લેવો ગુનો માનવામાં આવતો નથી.

શું છે આ 6 પરિસ્થિતિ જેમાં ગુનો માનવામાં આવતો નથી. એવો હુમલો જેમાં મૃત્યુંની આશંકા હોય. એવો હુમલો જેનાથી ગંભીર ઈજા પહોંચવાની આશંકા હોય. બળાત્કાર કરવાના ઈરાદાથી કરાયેલો કોઈ હુમલો. અપ્રાકૃતિક સંબંધ બનાવવાના ઈરાદેથી કરેલો કોઈ હુમલો. અપહરણ કરવાના ઈરાદાથી કરાયેલો હુમલો.

ના, પોલીસ કોઈની પણ ઇચ્છા મુજબ ગોળીબાર કરી શકતી નથી. કાયદા હેઠળ, પોલીસને ફક્ત ખૂબ જ મર્યાદિત, ગંભીર અને ચોક્કસ પરિસ્થિતિઓમાં ગોળીબાર કરવાનો અધિકાર છે.પોલીસને ગોળી ચલાવવાનો અધિકાર છે, કોઈને મારવાનો નહીં, પરંતુ ધમકીને રોકવા માટે છેલ્લા ઉપાય તરીકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )