
ઘર ભાડે આપતા પહેલા રેન્ટ એગ્રીમેન્ટ કરવું ખુબ જરુરી છે. જો તમારો ભાડુઆત ઘર ખાલી કરવાની ના પાડે છે તો તમે કાનુનની મદદ લઈ શકો છો. આ માટે તમારે વકીલ સાતે વાત કરી તમારી સમસ્યા જણાવવાની રહેશે.

ત્યારબાદ તમારા વકીલ ભાડૂતને મકાન ખાલી કરાવવાની કાનૂની નોટિસ મોકલી શકે છે. આ નોટિસ પછી, ભાડૂતે 15 થી 30 દિવસની અંદર ઘર ખાલી કરવાનું રહેશે. જો તે છતાં પણ ઘર ખાલી ન કરે, તો તમે કોર્ટમાં કેસ દાખલ કરી શકો છો.

જો કાનુની નોટિસ મોકલ્યા બાદ ભાડુઆત ઘર ખાલી કરવાની ના પાડે છે. તો તમે કોર્ટમાં તેના વિરુદ્ધ રેન્ટ કંટ્રોલ એક્ટ મુજબ કેસ દાખલ કરી શકો છો. આ પ્રોસેસ બાદ તમે તમારું ઘર ભાડુઆત પાસેથી કોર્ટના ઓર્ડર મુજબ ખાલી કરાવી શકો છો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva/insta)