
કેટલાક લોકો માને છે કે નોટિસ પિરિયડ ખરીદી શકાય છે. હકીકતમાં, ઘણી કંપનીઓ નોટિસ પિરિયડ બાયઆઉટની છૂટ આપે છે, જેમાં કર્મચારી નોટિસ પિરિયડના દિવસોની સેલરી ચૂકવીને તરત રિલીવ થઈ શકે છે. પરંતુ આ સંપૂર્ણપણે કંપનીની નીતિ પર આધારિત છે.

જો કામનું વાતાવરણ અત્યંત તણાવભર્યું હોય, પગાર ન મળતો હોય અથવા હેરાસમેન્ટ જેવી ગંભીર સમસ્યા હોય, તો કર્મચારી પાસે કાનૂની વિકલ્પો ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં HR અથવા મેનેજમેન્ટને લેખિતમાં જાણ કરવી અને પુરાવા સાથે પગલાં લેવાં વધુ યોગ્ય માનવામાં આવે છે.

કંપની શું કરી શકતી નથી?: કંપની કર્મચારીની સેલરી જપ્ત કરી શકતી નથી. જબરદસ્તી કામ પર બોલાવી શકતી નથી. પોલીસ એક્શન લઈ શકતી નથી.

નિષ્ણાતો સલાહ આપે છે કે નોકરી છોડતાં પહેલાં હંમેશા ઓફર લેટર વાંચવું, નોટિસ પિરિયડ વિશે સ્પષ્ટતા રાખવી અને શક્ય હોય ત્યાં સુધી શિસ્તબદ્ધ રીતે રિઝાઇન કરવું. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય થોડી ક્ષણની રાહત આપી શકે છે, પરંતુ લાંબા ગાળે કારકિર્દી પર તેની નકારાત્મક અસર પડી શકે છે.
Published On - 1:43 pm, Sun, 4 January 26