
અરજદારના વકીલે જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર તેમના ક્લાયન્ટને નિયમો મુજબ કૂતરાઓને ખવડાવવામાં અવરોધ ઉભો કરી રહ્યું છે. અરજદારે આરોપ લગાવ્યો હતો કે તેમને પશુ જન્મ નિયંત્રણ (ABC) નિયમો, 2023 મુજબ સમુદાયના કૂતરાઓને ખવડાવવા બદલ હેરાન કરવામાં આવી રહ્યા છે.

અરજદારના વકીલે દલીલ કરી હતી કે તેમના ક્લાયન્ટ પશુ જન્મ નિયંત્રણ નિયમો, 2023નું પાલન કરી રહ્યા છે. નિયમ 20 મુજબ, સ્થાનિક રહેવાસીઓના સંગઠન અથવા નગરપાલિકાની જવાબદારી છે કે તેઓ સમુદાયના જાનવરો માટે ખોરાકનું સ્થળ નક્કી કરે.

વકીલે કહ્યું કે નોઇડા ઓથોરિટી આવું કરી રહી નથી, જ્યારે ગ્રેટર નોઇડામાં આવું થઈ રહ્યું છે. મતલબ કે, નિયમ મુજબ, કૂતરાઓને ખોરાક આપવાનું સ્થળ નક્કી કરવાનું કામ સરકારનું છે, પરંતુ નોઇડામાં આવું થઈ રહ્યું નથી.

જસ્ટિસ નાથે અરજીકર્તાના વકીલને પુછ્યું કે, તમે તમારા ઘરે કેમ ખવડાવતા નથી? કોર્ટે કહ્યું જો સેવા કરવી છે, તો તમારા ઘરે કરો, તમને કોઈ નહી રોકે, બેન્ચે કહ્યું અમે તમને સલાહ આપીએ છીએ કે, તમે ઘરના ડોગ શેલ્ટર બનાવી લો.તમારા વિસ્તારના દરેક કૂતરાઓને ત્યાં જ ખવડાવો. કોર્ટે પૂછ્યું કે શું રસ્તાઓ પર માણસો માટે જગ્યા ફક્ત એટલા માટે ઓછી કરવી જોઈએ કારણ કે કેટલાક લોકો પ્રાણીઓને ખવડાવવા માંગે છે?

જજે સવાલ કર્યો કે, શું તમે સવારે સાઈકલ ચલાવવા જાવ છો આવું કરતા જુઓ શું થાય છે. અરજીકર્તાવકીલે કહ્યું કે, તે સવારે વોકિંગ માટે જાય છે અને દરરોજ કૂતરાઓનો સામનો કરે છે. જવાબમાં પીઠે કહ્યું કે, સવારે વોકિગ કરતા લોકોને પણ ખતરો રહે છે. સાઈકલ ચલાવનાર અને બાઈક પર જતા લોકોને વધારે ખતરો રહે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)