
કોઈપણ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતા પહેલા, સંબંધિત માલિકને ઓછામાં ઓછા 15 દિવસ અગાઉ લેખિત સૂચના આપવી જરૂરી છે. આ નોટિસ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે અને ઇમારતની બહાર ચોંટાડવામાં આવશે. સૂચનામાં આ માહિતી હોય છે. ગેરકાયદે બાંધકામનો પ્રકાર,કયા કાયદા કે નિયમનું ઉલ્લંઘન થયું છે? અને તોડી પાડવાને કારણો.

નોટિસ મળ્યા પછી, માલિકને વ્યક્તિગત સુનાવણીની તક આપવામાં આવશે જ્યાં તે પોતાનો દાવો રજૂ કરી શકશે. સુનાવણી પછી, માલિકના વાંધાઓ અને વહીવટીતંત્રના નિર્ણયની વિગતો આપતો અંતિમ આદેશ પસાર કરવામાં આવશે.

બધી સૂચનાઓ, સુનાવણીઓ અને આદેશોની માહિતી ડિજિટલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પોર્ટલ સંબંધિત નગરપાલિકા અથવા સ્થાનિક સત્તામંડળ દ્વારા સંચાલિત કરવામાં આવશે. બધી કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરને ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવશે.

કોઈપણ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતી વખતે, સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવે છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કાર્યવાહી પારદર્શક અને કાનૂની પ્રક્રિયા અનુસાર થાય છે.જો આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થાય છે, તો સંબંધિત અધિકારીઓ સામે અવમાનની કાર્યવાહી શરૂ કરી શકાય છે. ઉપરાંત, આવા કિસ્સાઓમાં વળતરની પણ વ્યવસ્થા કરી શકાય છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રસ્તા, ફૂટપાથ જેવા જાહેર સ્થળોએ ગેરકાયદેસર બાંધકામોના કિસ્સામાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય છે. આવા કિસ્સાઓમાં, 15 દિવસની નોટિસ ફરજિયાત નથી કારણ કે આ બાંધકામો જાહેર સલામતી માટે ખતરો ઉભો કરી શકે છે.

Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે.(All Image Symbolic)
Published On - 7:06 am, Wed, 21 May 25