
સુપ્રીમ કોર્ટે ઓફ ઈન્ડિયાએ મેટરનિટી લીવને લઈ એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય સંભળાવતા કોર્ટે કહ્યું કે, જો કોઈ મહિલા 3 મહિનાથી વધારે ઉંમરના બાળકને દત્તક લે છે. તો તેને મેટરનિટી લીવ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટેનો આ નિર્ણય બાળકને દત્તક લેનાર માતા-પિતાઓ માટે રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટેનો આ નિર્ણય પહેલા એવો નિર્ણય હતો કે, જો બાળક 3 મહિનાથી મોટું છે. તો દત્તક લેનારી માતાને આ સુવિધા મળતી નથી. પહેલા માત્ર 12 અઠવાડિયાની રજા મળતી હતી. પરંતુ કોર્ટે હવે સ્પષ્ટ કર્યું કે, આવી મહિલાઓને મેટરનિટી લીવથી વંચિત રાખી શકાય નહી.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, દત્તક લીધેલું બાળક જૈવિક બાળકથી અલગ નથી.આ એક્ટ દત્તક માતાને 3 મહિનાથી ઓછી ઉંમરના બાળકને દત્તક લેવા પર માતૃત્વનો લાભની પરવાનગી આપે છે. મેટરનિટી લીવ માનવાધિકારોનો એક મહત્વપૂર્ણ પાસું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, માતૃત્વ સરંક્ષણ એ મૂળભૂત માનવ અધિકાર છે અને તે દરેક પાત્ર વ્યક્તિ માટે ઉપલબ્ધ હોવો જોઈએ.

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય બાળકને દત્તક લેનાર મહિલાઓના પરિવાર માટે ગુડન્યુઝ છે. ટુંકમાં દત્તક બાળક લેનાર માતાને પણ બાળકની સારસંભાળ રાખવા માટે એક હક અને પુરતો સમય મળશે.જૂના નિયંત્રણો હવે લાગુ પડશે નહીં. જો બાળક ત્રણ મહિનાથી વધુનું હોય તો પણ, માતાને સંપૂર્ણ મેટરનિટી લીવ આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે મેટરનિટી લીવ પર નિર્ણય સંભળાવ્યો છે. પરંતુ પેટરનિટી લીવનોનો મામલો સરકાર પર છોડી દેવામાં આવ્યો છે. પોતાના નિર્ણયમાં, કોર્ટે જણાવ્યું હતું કે પેટરનિટી લીવ માટેના નવા નિયમો અને તેમાં શું ફેરફાર કરવા જોઈએ તે હવે સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)