
આ નોટિસમાં ક્લિયર લખો કે, એગ્રીમેન્ટ પૂર્ણ થઈ ચૂક્યા છે. તેમણે 15 કે 30 દિવસની અંદર મકાન ખાલી કરવું પડશે. કેટલીક વખત નોટિસ મળતા જ ભાડુઆત કાનુનથી બચવા માટે ઘર ખાલી કરી દે છે.

જો તેમ છતાં મકાન ખાલી કરતા નથી. તો કોર્ટની મદદ લેવી જોઈએ. આ પ્રકિયાને ઈવિક્શન સૂટ કહેવામાં આવે છે.આ પ્રક્રિયા માટે તમારી નજીકની સિવિલ કોર્ટમાં ખાલી કરાવવાનો દાવો દાખલ કરવો જરૂરી છે. તમારે પુરાવા તરીકે ભાડા કરાર અને કાનૂની નોટિસની નકલ સબમિટ કરવાની રહેશે.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, કોર્ટ ભાડૂતને ઘર ખાલી કરવાનો આદેશ આપશે જો તે સંતુષ્ટ થાય કે કરાર સમાપ્ત થઈ ગયો છે અને મકાનમાલિકની જરૂરિયાત કાયદેસર છે.

જો ભાડૂત કોર્ટના આદેશ પછી પણ મકાન ખાલી કરાવવાનો ઇનકાર કરે છે, તો કોર્ટ એક બેલિફની નિમણૂક કરે છે જે પોલીસની મદદથી કાયદેસર રીતે ભાડૂતને બહાર કરી શકે છે.

હંમેશા રેન્ટ એગ્રીમેન્ટનું રજિસ્ટર કરાવો 11 મહિનાથી વધારેનું એગ્રીમેન્ટનું રજિસ્ટ્રેશન અનિવાર્ય છે. એક રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ કોર્ટમાં સૌથી મજબુત સબુત માનવામાં આવે છે.

ક્યારેય વીજળી કે પાણીનો પુરવઠો કાપી નાખશો નહીં કે ભાડૂતનો સામાન ફેંકી દેશો નહીં. કાયદા હેઠળ આને પજવણી ગણી શકાય, અને ભાડૂત તમારી વિરુદ્ધ કેસ દાખલ કરી શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)