
સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું છે કે જો પતિ-પત્ની વચ્ચેના લગ્નના સાચા સંબંધના પુરાવા ઉપલબ્ધ હોય (દા.ત. લગ્ન સમારંભ સંબંધિત દસ્તાવેજો, સાક્ષીઓના નિવેદનો વગેરે) તો લગ્ન પ્રમાણપત્રની ગેરહાજરી દૂર થઈ શકે છે.

જો લગ્નનું પ્રમાણપત્ર નથી. તો કોર્ટમાં લગ્નની કંકોત્રીનો ફોટો, સાક્ષીઓના નવિદનોને રજુ કરી શકાય છે. છૂટાછેડાની અરજી કરતી વખતે કોર્ટ ખાતરી કરે છે કે લગ્નના અસ્તિત્વ અને માન્યતાના પૂરતા પુરાવા છે.અલગ અલગ કિસ્સાઓમાં, તે નક્કી કરવામાં આવે છે કે ઉપલબ્ધ દસ્તાવેજો અને પુરાવા તે લગ્નના અસ્તિત્વને સ્થાપિત કરવા માટે પૂરતા છે કે નહીં.

લગ્નનું પ્રમાણપત્ર વગર છૂટાછેડા સંભવ છે,જો લગ્નના અસ્તિત્વને સાબિત કરવા માટે અન્ય નક્કર અને ચકાસી શકાય તેવા પુરાવા ઉપલબ્ધ હોય તો. એ નોંધવું અગત્યનું છે કે જ્યાં લગ્ન પ્રમાણપત્ર ઉપલબ્ધ હોય, તે એક મજબૂત દસ્તાવેજ માનવામાં આવે છે, પરંતુ જો તમે અન્ય અધિકૃત પુરાવા રજૂ કરી શકો તો તેની ગેરહાજરી છૂટાછેડા પ્રક્રિયામાં અવરોધ નહીં લાવે. (All Image are Symbolic)