
ભારતીય કોર્ટમાં દરેક કેસમાં પતિ-પત્નીની આર્થિક સ્થિતિ, વર્ષ, જરુરત અને પરિસ્થિતિને જોયા બાદ નિર્ણય લેવામાં આવે છે. ટુંકમાં માત્ર પત્ની હોવાથી ભરણપોષણ મળે તેની કોઈ ગેરન્ટી નથી.

હાલમાં કર્ણાટક હાઈકોર્ટે એક એવો મહત્વનો નિર્ણય સંભળાવ્યો કે, કોર્ટે કહ્યું જો પત્નીની ઉંમર પતિથી વધારે છે અને તે પોતાનો ખર્ચો ઉઠાવવામાં સક્ષમ છે. તો તેને ફક્ત એટલા માટે ભરણપોષણ આપી શકાતું નથી કારણ કે તે પત્ની છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભરણપોષણનો હેતુ વધારાના નાણાકીય લાભો પૂરા પાડવાનો નથી, પરંતુ એવી વ્યક્તિને મદદ કરવાનો છે જે પોતાનું ગુજરાન ચલાવવામાં અસમર્થ છે. આ નિર્ણયથી ફરી એકવાર પ્રશ્ન ઉભો થયો છે કે કયા સંજોગોમાં પત્ની ભરણપોષણ માટે હકદાર નથી.

હાલમાં કર્ણાટક હાઈકોર્ટે એક એવો મહત્વનો નિર્ણય સંભળાવ્યો કે, કોર્ટે કહ્યું જો પત્ની પોતાનો ખર્ચો ઉઠાવવામાં સક્ષમ છે. તો તેને ફક્ત એટલા માટે ભરણપોષણ આપી શકાતું નથી કારણ કે તે પત્ની છે.

એવું બિલકુલ નથી કે, ફક્ત નોકરી કે આવક હોવી એ ભરણપોષણનો ઇનકાર કરવાનો આધાર નથી. કોર્ટ એ પણ ધ્યાનમાં લે છે કે પત્નીની આવક તેની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી છે કે નહીં.

ઘણા કિસ્સાઓમાં, પત્ની નોકરી કરતી હોય છે, પરંતુ તેની આવક ખૂબ ઓછી હોય છે, જ્યારે પતિની આવક ઘણી વધારે હોય છે. આવી સ્થિતિમાં, કોર્ટ પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપી શકે છે જેથી તેમના જીવનધોરણમાં નોંધપાત્ર તફાવત ન આવે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )