
પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારના રોજ થયેલી કેબિનેટની બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમને રાષ્ટ્રીય ગીત જન ગણ મનની સમાન દરરજો આપવાના પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી છે.

સરકારે "રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ" માં સુધારો કરવાના પ્રસ્તાવને સ્વીકાર્યો છે. એકવાર અમલમાં આવ્યા પછી, બંકિમ ચંદ્ર ચેટર્જી દ્વારા રચિત "વંદે માતરમ", રાષ્ટ્રગીત જેવા જ નિયમો અને પ્રતિબંધો લાગુ રહેશે. ઉલ્લંઘનને દાખલપાત્ર ગુનો ગણવામાં આવશે.

વર્તમાન કાયદા હેઠળ, રાષ્ટ્રધ્વજ, બંધારણ અથવા રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ કેદ, દંડ અથવા બંને સજા થઈ શકે છે. પ્રસ્તાવિત સુધારા બાદ "વંદે માતરમ"નો પણ સમાવેશ થશે, કહેવામાં આવ્યું છે દેશ હાલમાં આ ગીતની 150મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે.

હાલના કાનુન હેઠળ જો કોઈ પણ વ્યક્તિ ઇરાદાપૂર્વક રાષ્ટ્રગીત ગાવામાં અવરોધ ઉભો કરે છે તેને ત્રણ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને થઈ શકે છે.

વારંવાર ગુના માટે અંદાજે એક વર્ષની જેલ થઈ શકે છે. હવે રાષ્ટ્રીય ગીતને રાષ્ટ્રગીતની ગરિમાનું રક્ષણ કરવા માટે તેને પણ આ કાયદાકીય માળખામાં સમાવવામાં આવી રહ્યું છે.

આ પહેલા 2005માં કાનુનમાં સંશોધન કરી ધ્વજનું અપમાનજનક ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા માટે હતો.તમને જણાવી દઈએ કે, વંદે માતરમને રાષ્ટ્રગીત બરાબર દરજ્જો આપવાની માંગ ગત્ત વર્ષે ડિસેમ્બરમાં સંસદમાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર થયેલી એક વિશેષ ચર્ચા દરમિયાન ઉઠી હતી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )