
કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે, વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ કાયદો 2007નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આના હેઠળ માતા પિતાએ આપેલી બાળકોને સંપત્તિ કાનુની રીતે પરત પણ લઈ શકે છે. જો સંતાન તેની સેવા કરવામાં અસફળ રહે છે તો.આ કાયદો વૃદ્ધોને તેમના અધિકારો માટે લડવા માટે કાનૂની અધિકાર પુરા પાડે છે અને તેમના બાળકો દ્વારા તેમને અવગણનાથી રક્ષણ આપે છે.

આ ચુકાદો દર્શાવે છે કે મિલકતનો અધિકાર ફક્ત વારસાગત અથવા કાનૂની અધિકાર નથી, પરંતુ ફરજો સાથે જોડાયેલો અધિકાર છે. માતાપિતાએ તેમના જીવનનો મોટાભાગનો સમય બાળકોના ઉછેર માટે સમર્પિત કર્યો છે, અને વૃદ્ધાવસ્થામાં તેમની પાસેથી આદર અને સંભાળની અપેક્ષા રાખવી એ તેમનો અધિકાર છે.

આ નિર્ણયથી એ લાખો વુદ્ધને રાહત છે. જે પોતાના સંતાનની ઉપેક્ષા અને દુવ્યવ્હારનો શિકાર બન્યા છે. સાથે એ બાળકોને પણ સ્પષ્ટ સંદેશ છે કે, માત્ર સંપત્તિ મેળવવા રુચિ રાખવાની જવાબદારી નથી પરંતુ તેના કર્તવ્યોને નિભાવવા પણ જરુરી છે. બાકી સંપત્તિના અધિકારથી વંચિત પણ રહી શકે છે.

તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.