
પૌત્ર-પૌત્રીઓને તેમના માતાપિતા જીવિત હોય ત્યાં સુધી પ્રથમ વર્ગના વારસદાર ગણવામાં આવતા નથી. કૃતિકાએ જે મિલકતમાં હિસ્સો માંગ્યો હતો તે તેના દાદાની હતી.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, 1956 પછી આવી મિલકતને સંયુક્ત પરિવારની મિલકત નહીં પણ વ્યક્તિગત માલિકી ગણવામાં આવશે. કોર્ટે કહ્યું કે આ નિર્ણય સમાજમાં પ્રવર્તતી ગેરસમજને દૂર કરે છે, જેમાં એવું માનવામાં આવતું હતું કે દાદા-દાદીની મિલકત પર પૌત્ર-પૌત્રીઓનો સીધો અધિકાર છે, પણ હવે એવું નથી. દાદાની સંપતિ પર પહેલો અધિકાર પિતાનો લાગશે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)