
ભારતના રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ય સંવૈધાનિક પદ પર હોય છે. બંધારણની કલમ 361 રાષ્ટ્રપતિને અનેક કાનૂની રક્ષણ પૂરું પાડે છે. આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે રાષ્ટ્રપતિ કોઈપણ બાહ્ય દબાણ વિના સંપૂર્ણ સ્વતંત્રતા અને નિષ્પક્ષતા સાથે પોતાની ફરજો બજાવી શકે.

ભારતના રાષ્ટ્રપતિ ગણરાજ્યનો રાષ્ટ્રપ્રમુખ હોય છે. તે દેશનો પહેલો નાગરિક હોવાની સાથે સશસ્ત્ર બળનો સર્વોચ્ય કમાન્ડર હોય છે.દ્રોપદી મુર્મૂ હાલમાં દેશના 14માં રાષ્ટ્રપતિ છે. ભારતનું સંવિધાન રાષ્ટ્રપતિને તેના અધિકારોનો ઉપયોગ કરવાની તાકત આપે છે.

પરંતુ શું એ શક્ય છે કે રાષ્ટ્રપતિ પદ પર રહીને ગેરબંધારણીય કૃત્યો કરી શકે અને તેમની સામે કોઈ કાર્યવાહી ન થાય? જો રાષ્ટ્રપતિ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે, તો તે કેવી રીતે કરવામાં આવશે, અને કોની પાસે આવું કરવાની સત્તા છે? ચાલો આ પ્રશ્નોના જવાબ જાણીએ.

સૌથી પહેલો સવાલ રાષ્ટ્રપતિ વિરુદ્ધ કેસ કઈ રીતે નોંધી શકાય. આ માટે તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ પર તેમના કાર્યકાળ દરમિયાન આરોપ લગાવી શકાતા નથી કે તેમની ધરપકડ કરી શકાતી નથી. ભારતીય બંધારણ આવી કોઈ બાબતની પરવાનગી આપતું નથી.

બીજો પ્રશ્ન એ ઊભો થાય છે. જો રાષ્ટ્રપતિ કોઈ કૌભાંડ કે અન્ય ગુનામાં સંડોવાયેલા હોય તો શું? સૌ પ્રથમ, રાષ્ટ્રપતિ કોઈપણ કૌભાંડ કે ગુનામાં સંડોવાઈ શકતા નથી, અપવાદોને બાદ કરતાં. જ્યાં સુધી તેમની પાસે સંપૂર્ણ નાણાકીય સત્તા હોય ત્યાં સુધી કૌભાંડ જેવી બાબતો અશક્ય છે.ટુંકમાં રાષ્ટ્રપતિની ધરપકડ થઈ શકતી નથી.

દેશમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પોતાના પદ પર હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કાયદાકિય કાર્યવાહી થી મુક્ત હોય છે. આ પદ પર રહેતા તેની ધરપકડ કરી શકાતી નથી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )