
પોલીસ અને કોર્ટની ભૂમિકા: પોલીસ પાસે અધિકાર છે કે તે જામીનપાત્ર ગુનામાં વ્યક્તિને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર છોડી શકે. પરંતુ બિનજામીનપાત્ર ગુનામાં માત્ર કોર્ટ જ નિર્ણય લઈ શકે છે કે જામીન આપવો કે નહીં.

તમારા અધિકારો: ધરપકડ સમયે દરેક નાગરિકને પોતાના કાયદાકીય અધિકારો વિશે જાણ હોવી જોઈએ. ભારતીય બંધારણની કલમ 22 હેઠળ દરેક આરોપીને વકીલ રાખવાનો અધિકાર છે અને કોર્ટ સામે તરત હાજર કરવાની ફરજ પોલીસ પર છે.

અહીંયા સ્પષ્ટ થાય છે કે ધરપકડ બાદ તરત જામીન મળી જશે એવું જરૂરી નથી. તે તમારા પર લાગેલા આરોપના સ્વરૂપ અને ગુનાની ગંભીરતા પર આધાર રાખે છે. જો ગુનો જામીનપાત્ર છે તો તરત છૂટી શકો છો, પરંતુ બિનજામીનપાત્ર ગુનામાં કોર્ટની મંજૂરી બાદ જ જામીન મળે છે. કાયદો દરેક વ્યક્તિને ન્યાય અપાવવા માટે બનાવવામાં આવ્યો છે, એટલે તમારા અધિકારોને ઓળખો અને કાયદાકીય મદદ સમયસર લો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જાહેર જનતાના નોલેજ માટે છે. જામીન મળી જાય તો તેનો અર્થ એવો નથી કે તમે નાના નાના ગુના કરતા રહો. જનતા માટે બનાવેલા નિયમો ફોલો કરવા એ એક સારા નાગરિકની ફરજ છે.)
Published On - 2:25 pm, Tue, 26 August 25