
જો તમારી પાસે આયુષ્માન ભારત કાર્ડ છે અને તમે આયુષ્માન પેનલમાં રહેલી હોસ્પિટલમાં જઈ સારવાર કરાવો છો. તો તમારે એક રુપિયો આપવાની જરુર રહેતી નથી. આ યોજના હેઠળ દરેક પરિવારને દર વર્ષે 5 લાખ રુપિયા સુધી કેશલેશ સારવાર મળે છે. આનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે.

કેટલીક વખત હોસ્પિટલ એવું કહીને કાર્ડ ધારક પાસે પૈસા માંગે છે કે તમારું કાર્ડ હજુ એક્ટિવ નથી. કે ઈમરજન્સી માટે તમારે પૈસા આપવા પડશે. પરંતુ આ બધું ખોટું છે.આવું કરવું નિયમનું ઉલ્લંધન માનવામાં આવે છે. કોર્ટમાં અનેક એવા કેસ આવ્યા છે. જેમાં આયુષ્માન યોજના હેઠળ દર્દી સારવાર કરાવવા પહોંચે અને પૈસા લેવામાં આવે છે. આવી હોસ્પિટલને યોજનામાંથી દુર કરી દેવામાં આવી છે. ઘણા વૃદ્ધો અને સામાન્ય લોકોને પણ વળતર મળ્યું છે.

જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અને હોસ્પિટલ તમારી પાસે પૈસા લે છે. તો તમે શું કરી શકો? જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અને તેમ છતાં હોસ્પિટલે તમારી પાસે સારવાર માટે પૈસા લીધા છે તો ચિંતા કરવાની જરુર નથી. તમે સંપૂર્ણ કાર્યવાહી કરી શકો છો.

સૌથી પહેલા તમારે આયુષ્માન ભારત યોજનાના હેલ્પલાઈન નંબર પર ફોન કરવાનો રહેશે. અને તમારી ફિરિયાદ નોંધાવવાની રહેશે. તમારે હોસ્પિટલનું નામ, તારીખ અને કઈ સારવાર માટે કેટલા પૈસા લીધા છે. તેના વિશે જણાવવાનું રહેશે.

જો તમે ઈચ્છો તો grievance.pmjay.gov.in વેબસાઈટ પર જઈ ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકો છો. તમારે ફરિયાદ માટે કેટલીક જાણકારી આપવી પડશે. કાર્ડ નંબર,નામ અને હોસ્પિટલનું નામ

તમે ઈચ્છો તો સીધા તમે રાજ્યની સ્ટેટ હેલ્થ એજન્સીની ઓફિસ પર જઈ ફરિયાદ નોંધી શકો છો. ત્યાં જઈ તમે એક લેખિતમાં ફરિયાદ કરી તેની તમારે તેની રસીદ માંગવી પડશે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)