
કેટલીક વખત એવું જોવા મળે છે કે, પોલીસ કોઈ સામાન્ય માણસને ફોન કરી અચાનક પોલીસ સ્ટેશન બોલાવે છે. તો ડરવાની કે ચિંતા કરવા લાગે છે. લોકોને લાગે છે કે, જો તે જલ્દી પોલીસ સ્ટેશન પહોંચશે નહી. તો તેના વિરુદ્ધ કાર્યવાહી થશે. અથવા તેની ધરપકડ કરાશે.

કાનુની જાણકારી ન હોવાના કારણે કેટલીક વખત સામાન્ય નાગરિક પોતાના અધિકારોનો ઉપયોગ કરી શકતો નથી અને ચિંતામાં આવી જાય છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ, જો પોલીસ કોઈ મામલે કોઈની પુછપરછ કરવા માંગે છે તો ઔપચારિક લેખિત નોટિસ મોકલવી જરુરી છે.

માત્ર ફોન પર આપવામાં આપેલી મૌખિક માહિતી કાયદેસર રીતે માન્ય નથી.તેથી, ફોન આવે ત્યારે ગભરાવાને બદલે, નમ્રતાપૂર્વક પોલીસ અધિકારી પાસે લેખિત સમન્સ અથવા નોટિસ માંગવી.

આ માટે ફોન આવવા પર ચિંતા કરવાના બદલે વિનમ્રતાથી પોલીસ અધિકારીઓ પાસે લેખિત સમન અથવા નોટિસ મોકલવાની માંગ કરો.

જ્યારે પોલીસનો ફોન આવે તો ડર કે ચિંતા કર્યા વગર શાંતિથી અધિકારીઓને તેનું નામ, પદ, પોલીસ સ્ટેશનનું નામ અને એફઆઈઆર નંબર પુછી લો. તમારે આ જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. કે, તમને કયા કેસમાં (સાક્ષી કે આરોપી) અને તેને શા માટે બોલાવવામાં આવી રહ્યો છે. આ જાણકારી તમને આગળના કાનુનમાં તૈયારી કરવામાં મદદ કરે છે.

કાનુન મહિલાઓ 15 વર્ષથી નાની ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધારે ઉંમરના લોકોને વિશેષ સુવિધા આપે છે. પોલીસ કોઈ પણ મહિલા કે વરિષ્ઠ નાગરિકોને કોઈ કારણ વગર પુછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી શકે નહી. આવા કેસમાં પોલીસ અધિકારીને ખુદ તેના ઘરે જઈ પરિવારના લોકો અથવા મહિલા કોન્સેબલની હાજરીમાં પુછપરછ કરવાની રહે છે.

જો તમારી પાસે લેખિતમાં નોટિસ આવે છે. તો તમારે પોલીસ સ્ટેશન જવું પડે છે. ત્યારે એકલા જવાથી બચવું જોઈએ. તમારી સાથે ફ્રેન્ડ, વકીલ કે પછી સંબંધીઓને જરુર લઈ જાવ. તમને પુછપરછ દરમિયાન વકીલની સલાહ લેવાનો સંપૂર્ણ અધિકાર છે. આ સાથે પોલીસ સ્ટેશન જતા પહેલા ઘરના લોકોને સંપૂર્ણ જાણકારી આપી નીકળો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )