
જો મામાની સંપત્તિ પૈતૃક સંપત્તિ છે. તો મામાના દીકરા-દીકરીનો આ સંપત્તિમાં અધિકાર છે. પરંતુ ભાણેજનો અધિકાર રહેશે નહી.

જો મામા પાસે વસિયત હોય તો, જો મામાએ પોતાની વસિયતમાં પોતાની સંપત્તિનો કોઈ ભાગ ભાણેજના નામ કર્યો છે, તો ભાણેજ તેને ઉત્તરાધિકારી તરીકે દાવો કરી શકે છે. પરંતુ જો વસિયતમાં નામ નથી તો ભાણેજને કોઈ અધિકાર મળતો નથી.

હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 મુજબ, ભત્રીજો મામાનો વર્ગ-1 કે વર્ગ-2નો કાનૂની વારસદાર નથી. આ કાનુનમાં મામાના મૃત્યુ પછી સંપત્તિમાં સૌથી પહેલા પત્ની, બાળકો, માતા-પિતા અને ત્યારબાદ ભાઈ બહેનોમાં વચ્ચે વહેંચવામાં આવે છે. ભાણેજ ફક્ત બહેનના દીકરા તરીકે આવે છે અને મામાના મૃત્યુ પછી તેનો મિલકત પર સીધો અધિકાર નથી.

લેન્ડમાર્ક જજમેન્ટની વાત કરીએ તો Navneet Lal v. Gokul and Others – AIR 1976 SC 794 સુપ્રીમ કોર્ટએ કહ્યું જો સંપત્તિ સ્વઅર્જિત છે, તો માલિકને આ અધિકાર છે કે, તે ઈચ્છે તેને સંપત્તિ આપી શકે છે. પછી તે કાનુની રીતે વારિસ છે કે નહી.

K. V. Mahadevan v. T. V. Manoharan – Madras High Court આ નિર્ણય જણાવતા કહ્યું, જો કોઈ વ્યક્તિની પાસે મિલકતનો કોઈ (natural heir) ન હોય તો પણ, ભાણેજ જેવા સંબંધીને સ્વચાલિત અધિકાર નથી, સિવાય કે તેનું નામ વસિયતનામામાં હોય.

અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)
Published On - 7:15 am, Thu, 17 April 25