
અલ્હાબાદ હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, જો કોઈ માતા દંડ પ્રકિયા સંહિતા (CrPC)ની કલમ 125 હેઠળ તેના સગા દીકરા પાસેથી ભરણપોષણ મળી રહ્યું છે. તો ત્યારબાદ તેના સાવકા દીકરા પાસેથી પણ ભરણપોષણની માંગ કરી શકે નહી. ટિપ્પણીની સાથે કોર્ટે એક મહિલા દ્વારા દાખલ કરેલી ફોજદારી સુધારણા અરજી ફગાવી દીધી. ચાલો સંપૂર્ણ કેસ શું છે. તે જાણીએ.

Legal Adviceઆ કેસમાં એક મહિલા દ્વારા દાખલ કરાયેલી ફોજદારી સુધારણા અરજીનો સમાવેશ થાય છે. 15 મે, 2025ના રોજ, ફેમિલી કોર્ટે મહિલાના સાવકા પુત્રને તેની માતાને ભરણપોષણ તરીકે દર મહિને 8,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જોકે, મહિલા આ નિર્ણયથી અસંતુષ્ટ હતી. ત્યારબાદ તેમણે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો, અને દલીલ કરી કે, તેના સાવકા પુત્રને ભરણપોષણ પૂરું પાડવા માટે સમાન રીતે જવાબદાર ગણવો જોઈએ, કારણ કે તે તેના

ત્યારબાદ તેમણે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો, અને દલીલ કરી કે, તેના સાવકા પુત્રને ભરણપોષણ પૂરું પાડવા માટે સમાન રીતે જવાબદાર ગણવો જોઈએ, કારણ કે તે તેના સ્વર્ગસ્થ પતિનો દીકરો પણ છે.

ત્યારબાદ તેમણે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો, અને દલીલ કરી કે, તેના સાવકા પુત્રને ભરણપોષણ પૂરું પાડવા માટે સમાન રીતે જવાબદાર ગણવો જોઈએ, કારણ કે તે તેના સ્વર્ગસ્થ પતિનો દીકરો પણ છે.

જો કે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જો બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ વ્યક્તિના ભરણપોષણ માટે જવાબદાર હોય અને તેઓ કોર્ટનો સંપર્ક કરે, તો સંજોગોના આધારે, કોને ભરણપોષણ મળવું જોઈએ અને કેટલું મળવું જોઈએ તે નક્કી કરવાની જવાબદારી કોર્ટની છે.

મહિલાએ દલીલ કરી હતી કે ફેમિલી કોર્ટે ઉતાવળે ભરણપોષણની એકમાત્ર જવાબદારી તેના સગા પુત્ર પર મૂકી દીધી હતી અને તેના સાવકા પુત્રને આ જવાબદારીમાંથી મુક્ત કર્યો હતો. મહિલાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે બંને પુત્રોને ભરણપોષણ ચૂકવવા માટે જવાબદાર ઠેરવવા જોઈએ.

અરજીનો વિરોધ કરતા, રાજ્ય સરકાર અને સાવકા દીકરાએ દલીલ કરી હતી કે મહિલાનો સગો પુત્ર જીવિત હોવાથી અને ભરણપોષણનો આદેશ પહેલાથી જ જાહેર કરવામાં આવ્યો હોવાથી, સાવકા દીકરાને આ જવાબદારી માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. સાવકા દીકરાએ દલીલ કરી હતી કે મહિલાનો સગો પુત્ર, જેની પાસે પૂરતા સાધનો છે, તે પહેલેથી જ તેનું ભરણપોષણ કરી રહ્યો હોવાથી, સાવકા દીકરા પર સમાન જવાબદારી લગાવવાની કોઈ કાનૂની જવાબદારી નથી.

મહિલાની અરજીમાં કોઈ કાનૂની યોગ્યતા ન મળતા, હાઇકોર્ટે ઠરાવ્યું કે ,રિવિઝન અરજી કોઈ મજબૂત કાનૂની આધાર વિના દાખલ કરવામાં આવી હતી અને તેનો હેતુ ફક્ત સાવકા દીકરાને હેરાન કરવાનો હતો.

મહિલાની અરજીમાં કોઈ કાનૂની યોગ્યતા ન મળતા, હાઇકોર્ટે ઠરાવ્યું કે ,રિવિઝન અરજી કોઈ મજબૂત કાનૂની આધાર વિના દાખલ કરવામાં આવી હતી અને તેનો હેતુ ફક્ત સાવકા દીકરાને હેરાન કરવાનો હતો.