
હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે, શું તે એલિમની માંગી શકે. તો કાનુની રુપથી મહિલા માનવામાં આવે છે અને લગ્ન બાદ છુટાછેડા કે અલગ થવાની સ્થિતિ આવે છે અને આર્થિક રીતે નબળી છે અને પતિ સક્ષમ છે. તો તે અન્ય મહિલાની જેમ ભરણપોષણ માંગી શકે છે.

હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કરણ નામનો એક પુરુષ લિંગ પરિવર્તન કરી કીરણ બની જાય છે.કીરણે એક પુરુષ સાથે લગ્ન કર્યા છે. લગ્નના થોડા વર્ષો બાદ છુટાછેડા થાય તો કીરણની પાસે કોઈ આવકનું સાધન નથી. તો કીરણ તેના પૂર્વ પતિ પાસેથી એલિમિની માંગવાની કાનુની હદકાર હશે.

મહત્વની વાત એ છે કે, ભારતમાં ટ્રાન્સજેન્ડર અધિકારોની સ્થિતિ હવે વધારે વિકસિત થઈ રહી છે અને આવા કેસમાં હંમેશા કોર્ટનીના અર્થઘટનની જરૂર પડે છે. ભરણપોષણનો નિર્ણય કોર્ટ દ્વારા કેસ-દર-કેસના આધારે લેવામાં આવે છે.

જો કોઈ પુરુષ લિંગ પરિવર્તન બાદ કાનુની રુપથી મહિલા બને છે અને લગ્ન થાય છે. તો તે સામાન્ય મહિલાની જેમ એલિમની માંગી શકે છે. જો બાકીની કાનૂની શરતો પૂરી થાય તો.પરંતુ જો કોર્ટને લાગે કે તે કમાવવા માટે સક્ષમ છે, અથવા તે લગ્નનો લાભ લેવા માટે ભરણપોષણ માંગી રહી છે, તો કોર્ટ ભરણપોષણ આપવાનો પણ ઇનકાર કરી શકે છે, પછી ભલે તે સ્ત્રી હોય કે ટ્રાન્સ મહિલા.

તાજેતરમાં, અરુણ કુમાર વિરુદ્ધ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન (2025) કેસમાં, હાઇકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, જો ટ્રાન્સ પુરુષ કાયદેસર રીતે લગ્ન કરે છે તો તેને કાયદેસર "વર" ગણવામાં આવશે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)