
દહેજ એક એવી કુરીતિ છે. જેના કારણે અનેક મહિલાઓ આની ઝપેટમાં આવે છે. એક રિપોર્ટ મુજબ વર્ષ 2020માં ભારતમાં દહેજ હત્યા મામલે અંદાજે 7 હજાર નોંધાયા હતા. આ એક સામાજિક સમસ્યા છે. આનો ઉકેલ ત્યારે સંભવ છે કે, તેના વિરુદ્ધ કડક પગલું ભરવામાં આવે.

મધ્યપ્રદેશની એક મહિલાએ દહેજના ત્રાસને કારણે આત્મહત્યા કરી હતી. મહિલાના સાસરિયાઓ તેના પર ઘર બનાવવા માટે પૈસા માટે દબાણ કરી રહ્યા હતા. મહિલાનો પરિવાર પૈસા આપી શક્યો ન હતો, જેના કારણે તેમણે આત્મહત્યા કરી હતી. આ કેસમાં, નીચલી કોર્ટે મહિલાના પતિ અને સસરાને ભારતીય દંડ સંહિતાની કલમ 304B, 306 અને 498A હેઠળ દોષિત ઠેરવ્યા હતા. એવું જાણવા મળ્યું હતું કે આરોપી મૃતક મહિલા પાસેથી ઘર બનાવવા માટે સતત પૈસાની માંગણી અને દબાણ કરતો હતો, જે મહિલાનો પરિવાર ચૂકવી શક્યો ન હતો.

નીચલી કોર્ટના નિર્ણય પછી, દોષિત પતિ અને સસરાએ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં પડકાર કર્યો. મધ્યપ્રદેશ હાઈકોર્ટે સજા રદ કરી, એમ કહીને કે મૃતકે પોતે જ તેના પરિવાર પાસેથી ઘર બનાવવા માટે પૈસા માંગ્યા હતા.

હાઈકોર્ટે કહ્યું આરોપી સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 304B હેઠળનો ગુનો સાબિત થયો નથી કારણ કે ઘર બનાવવા માટે પૈસાની કથિત માંગણીને મૃત્યુના કથિત કારણ, એટલે કે દહેજની માંગણી સાથે જોડી શકાતી નથી. સુપ્રીમ કોર્ટની બેન્ચે નીચલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો, હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો અને આરોપીની સજા રદ કરી હતી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં લેતા, તેને એવું માનવામાં કોઈ ખચકાટ નથી કે ટ્રાયલ કોર્ટનું વિશ્લેષણ સાચું હતું અને પ્રતિવાદીઓ ભારતીય દંડ સંહિતાની કલમ 304-B અને 498-A હેઠળ દોષિત ઠેરવવાને પાત્ર હતા.

વધુમાં, દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોવાથી, સુપ્રીમ કોર્ટે તેને ઘટાડીને સાત વર્ષ કરી, જે આ ગુના માટે નિર્ધારિત ન્યુનતમ સજા છે.

જ્યારે આપણો દેશ હજુ પણ દહેજ જેવા દુષણો સામે લડી રહ્યો છે, ત્યારે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય પ્રશંસાને પાત્ર છે, પરંતુ આપણે હજુ પણ તેના તરફ કેટલાક જરૂરી પગલાં લેવા પડશે, જેથી કોઈ પણ મહિલા ફરીથી દહેજનો ભોગ ન બને.

કલમ 304બી ની જોગવાઈઓ સમાજમાં અવરોધક તરીકે કાર્ય કરવા અને જઘન્ય ગુનાઓને રોકવા માટે છે. બેન્ચે વધુમાં કહ્યું કે,આપણા સમાજમાં ઊંડે સુધી મૂળ ધરાવી ચૂકેલી આ દુષ્ટતાને નાબૂદ કરવાના કાર્યને પૂર્ણ કરવા માટે યોગ્ય દિશામાં આગળ વધવાની જરૂર છે.

મુખ્ય ન્યાયાધીશ એનવી રમના, ન્યાયાધીશ એએસ બોપન્ના અને ન્યાયાધીશ હિમા કોહલીની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે 'દહેજ' શબ્દનો વ્યાપક અર્થ એ રીતે અર્થઘટન કરવો જોઈએ કે જેથી સ્ત્રી પર કરવામાં આવતી કોઈપણ માંગનો સમાવેશ થાય, પછી ભલે તે મિલકતના સંદર્ભમાં હોય કે કોઈપણ મૂલ્યવાન વસ્તુના સંદર્ભમાં.

IPC કલમ 498A હેઠળ જો દહેજ માટે મહિલાને માનસિક કે શારીરિક ત્રાસ આપવામાં આવે તો આ એક ગંભીર ગુનો છે. સજાની જોગવાઈઓ કલમ 3: દહેજ લેવું કે આપવા 5 વર્ષ સુધીની જેલ અને દંડ,કલમ 4: દહેજની માંગણી કરવા પર 6 મહિનાથી 2 વર્ષ સુધીની જેલ અને દંડ

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)