
આ સાથે તમારા બાળકોને ફોન નંબર મોઢે કરાવી દો, જો ખોવાઇ જાય તો ફોન કરી તમારા સુધી પહોંચી શકે, તેમજ બાળકોને એક વાત જરુર શીખવાડો કે જો તમે મહાકુંભ મેળામાં ગુમ થઈ જાવ છો તો, કોઈ અજાણી વ્યક્તિ પાસે જવું નહિ. કોઈ પોલીસ અધિકારી પાસે જવું, જે તમારા બાળકોને તમારા સુધી પહોંચાડી દેશે.

જો તમારું બાળક ખોવાઈ જાય, તો તમે મહા કુંભ મેળાના જાહેરાત કેન્દ્રમાં જઈ શકો છો જ્યાંથી તમે તમારા બાળકના ખોવાઈ જવાની જાહેરાત કરી શકો છો. જો બાળક ખૂબ નાનું હોય, તો તેનો હાથ પકડીને ભીડમાં ચાલવાને બદલે તેને ઉંચકીને લઈ જાવ.

જો કોઈ બાળક ગુમ થઈ જાય, તો તાત્કાલિક પોલીસ અધિકારીને જાણ કરો જેથી તેને શોધી શકાય. જો મહાકુંભ સ્નાન દરમિયાન ઘાટ પર ઘણી ભીડ હોય, તો બાળકને પાણી તરફ ન લઈ જાઓ.