
ઘણા કોહલી સમુદાયના લોકો પાછળથી શીખ ધર્મ અપનાવ્યો અને ગુરુ સંપ્રદાયોમાં જોડાયા છે. આજે પંજાબમાં શીખ કોહલીઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

મુસ્લિમ કોહલીઓ: ભાગલા પહેલા, ઘણા કોહલીઓ મુસ્લિમ બન્યા હતા જે હવે પાકિસ્તાનમાં લાહોર, ગુજરાંવાલા, કરાચી વગેરેમાં જગ્યાએ વસે છે.

મૂળ સ્થાન: કોહલી પરિવારો પંજાબના મુખ્ય શહેરોમાં તેમના મૂળના હોવાનું જાણવા મળે છે - ,લાહોર, ગુજરાંવાલા,અમૃતસર,જલંધર, હોશિયારપુર સહિતની જગ્યાએ માનવામાં આવે છે.

હિન્દુસ્તાનના ભાગલા પછી ભારતના દિલ્હી, પંજાબ, જમ્મુ, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં સ્થાયી થયા. હવે કોહલી સમુદાયના કેટલાક લોકો કેનેડા, યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સ્થાયી થયા છે.

19મી-20મી સદીમાં, કોહલી પરિવારો વ્યવસાય અથવા રોજગાર માટે વિદેશમાં સ્થળાંતર થયા હતા. પંજાબના કોહલીઓ હવે યુકે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ગલ્ફ દેશોમાં સ્થાયી થયા છે. આ સમુદાયના લોકો વ્યવસાય, ટેકનોલોજી, દવા અને રાજકારણ જેવા ઘણા ક્ષેત્રોમાં સફળ છે.

કોહલી સરનેમ એક સમૃદ્ધ ઐતિહાસિક અને સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવતી અટક છે, જેનાં મૂળ પંજાબની ખત્રી જાતિ, વેપારી પરંપરા અને શીખ-હિન્દુ ધાર્મિક વારસામાં જોવા મળે છે. આજે આ નામ ભારત અને સમગ્ર વિશ્વમાં ઓળખાય છે.

આ ઉપરાંત કોહલી અટકના લોકો રાજનીતિ, શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમત જગતમાં પણ પ્રસિદ્ધ છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Published On - 3:52 pm, Mon, 12 May 25