AC Tips : ACમાં ડ્રાય મોડ ઓન કરવાથી જાણો શું થાય છે? મોટાભાગના લોકો નથી જાણતા તેનો ફાયદો
ડ્રાય મોડ એ એર કંડિશનરની એક ખાસ વિશેષતા છે જે રૂમમાંથી ભેજને દૂર કરીને ઠંડક પ્રદાન કરે છે. તે ખાસ કરીને એવા વિસ્તારોમાં ઉપયોગી છે જ્યાં વધુ પડતા ભેજ હોય છે.
1 / 6
દેશ ભરમાં વરસાદની મોસમ શરૂ ચાલી રહી છે. ઘણા રાજ્યોમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. ત્યારે ચોમાસાની આ સિઝનમાં ACમાં ડ્રાય મોડ ઓન કરવો ખુબ જરુરી છે. ત્યારે ડ્રાય મોડ શું છે અને તેને ચોમાસામાં કેમ ઓન કરવું જોઈએ તેમજ તેનાથી આ સિઝનમાં શું ફાયદો થાય છે ત્યારે જાણો અહીં .
2 / 6
ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં 12 મહિના સુધી ભેજ રહે છે. તેવી જ રીતે, ભારતના રાજ્યોમાં પણ વરસાદની મોસમમાં ભેજ રહે છે. ડૉક્ટરો માને છે કે ભેજ માનવ સ્વાસ્થ્ય માટે સારો છે પણ ચોમાસામાં ભેજ વધુ થઈ જાય છે ત્યારે આ દરમિયાન ડ્રાય મોડ કરવાથી જાણો શું થાય છે?
3 / 6
એર કંડિશનરમાં ડ્રાય મોડ હવામાંથી ભેજને દૂર કરવા માટે જાણીતું છે અને તે પર્યાવરણને ઠંડુ પણ કરે છે. માર્કેટમાં હાજર કેટલાક સ્પ્લિટ એર કંડિશનરમાં લેટેસ્ટ ડ્રાય મોડ આપવામાં આવી રહ્યો છે, જેને યુઝર્સ રિમોટ દ્વારા એક્ટિવેટ કરીને ઉપયોગ કરી શકે છે. તેને ચાલુ કરવાથી તમારા રૂમની ભેજ દૂર થઈ જાય છે અને તમારો રૂમ ઠંડક થવા લાગે છે.
4 / 6
ઘણા લોકો એર કંડિશનરમાં ડ્રાય મોડનો ઉપયોગ કરવા વિશે પ્રશ્ન કરે છે. તમને જણાવી દઈએ કે ડ્રાય મોડ સ્વાસ્થ્યના હિસાબે રૂમમાં સારું વાતાવરણ આપે છે. આ ઉપરાંત, આ મોડમાં એર કંડિશનર ચલાવવાથી તમારી વીજળીની પણ બચત થાય છે.
5 / 6
ડ્રાય મોડમાં, એર કંડિશનર તમારા રૂમની હવાને ફિલ્ટર કરે છે અને હવામાં રહેલી ખરાબ ગંધને પણ દૂર કરે છે. તે જ સમયે, એર કંડિશનરને ડ્રાય મોડમાં ચલાવવાથી રૂમમાં ભેજ દૂર થાય છે.
6 / 6
ડ્રાય મોડ દ્વારા, તમે રૂમમાં હાજર ભેજની સાથે તમારા ACમાંથી સ્ટીકીનેસ દૂર કરી શકો છો. આ માટે તમારે ફક્ત એર કંડિશનરમાં થર્મોસ્ટેટ સેટિંગ્સમાં ફેરફાર કરવા પડશે.
Published On - 2:07 pm, Tue, 30 July 24