
પાટીલ અટક મરાઠા સામ્રાજ્ય, પેશ્વા શાસન અને પછી બ્રિટીશ રાજ દરમિયાન પણ આપવામાં આવતી પદવી હતી. આ પદ મોટાભાગે ગામમાં સામાજિક અને આર્થિક રીતે શક્તિશાળી જમીનદાર વર્ગના લોકોને સોંપવામાં આવતું હતું.

મરાઠા સામ્રાજ્યમાં એટલે કે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં "પાટીલ" નું પદ ખૂબ જ મહત્વપૂર્ણ હતું. ગામડાની બાબતોમાં નિર્ણયો લેવાનો અધિકાર "પાટીલ" પાસે હતો. તેઓ સ્થાનિક ન્યાય અને વ્યવસ્થાના રક્ષક ઘણવામાં આવતા હતા.

બ્રિટિશ સરકારે પાટિલ પ્રણાલી જાળવી રાખી કારણ કે તેનાથી ગ્રામીણ વિસ્તારોનો વહીવટ સરળ બન્યો હતો. "પાટીલ" અટક મુખ્યત્વે મરાઠા જાતિ દ્વારા વપરાય છે, પરંતુ તે કેટલીક અન્ય જાતિઓમાં પણ જોવા મળે છે.

પાટીલ અટક મરાઠી પ્રદેશ સિવાય પણ અન્ય પ્રદેશના લોકો ઉપયોગ કરે છે. મહારાષ્ટ્રમાં મોટાભાગે કોલ્હાપુર, પુણે, સોલાપુર, સાંગલી, નાસિક, સતારા સહિતના જિલ્લાઓમાં વસવાટ કરે છે.

ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર પાટીલ શબ્દનો અર્થ ગામનો મુખી થાય છે. જેઓ વર્તમાન સમયમાં રાજકીય ક્ષેત્રે, કલાક્ષેત્રે સહિતના ક્ષેત્રમાં ખૂબજ આગળ છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)