
ભારતમાં વિવિધ ધર્મ, જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. ત્યારે વ્યક્તિના નામ પાછળ એક ખાસ ઉપનામ લખવામાં આવે છે તેને અટક કહેવાય છે. મોટાભાગના લોકોને અટકનો ઈતિહાસ અને અર્થથી અવગત હોતા નથી.

પાઠક અટક ભારતમાં જાણીતી છે. જે મુખ્યત્વે બ્રાહ્મણ સમુદાય સાથે સંકળાયેલી છે. તેનો ઉપયોગ ઉત્તર ભારતના વિવિધ રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને અમુક અંશે નેપાળમાં થાય છે.

સામાન્ય રીતે પાઠક અટકનો અર્થ વાચક અથવા વાંચનાર થાય છે. આ શબ્દ પાઠ પરથી આવ્યો છે. તેથી પાઠક અટક તે બ્રાહ્મણ સમુદાયમાં ઉપયોગમાં લેવામાં આવતી અટક છે.

વેદ, પુરાણો અને અન્ય ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ અને પાઠ કર્યો, તેઓએ ધાર્મિક વિધિઓ કરી, શિક્ષણનું કાર્ય કરતા હતા. તે લોકોને પાઠક કહેવામાં આવે છે.

પાઠક અટક ખાસ કરીને એવા બ્રાહ્મણો માટે વપરાય છે. જેઓ શાસ્ત્રોના વિદ્વાન અને જાણકાર હતા. આ લોકોને મંદિરો, ગુરુકુળો અથવા શાહી દરબારોમાં પાઠ અને પૂજા માટે નિયુક્ત કરવામાં આવતા હતા.

ભૌગોલિક ક્ષેત્રની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, બિહાર,મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ નેપાળ સહિતના વિસ્તારોમાં વસવાટ કરે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Published On - 12:02 pm, Sat, 19 July 25