
હૃદય, ડાયાબિટીસ, બીપી અને સાંધાના દુખાવાના દર્દીઓએ ચારધામની યાત્રામાં જતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી જરુરી છે.યાત્રા પહેલા ઇસીજી, ઇકોકાર્ડિયોગ્રાફી અને બ્લડ પ્રેશર તપાસવું મહત્વપૂર્ણ છે

એક્સપર્ટનું કહેવું છે કે, જો તમને ઉંચાઈ પર શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો પોર્ટેબલ ઓક્સીજન સિલેન્ડર તમારી સાથે જરુર રાખો. તેમજ એક ઓક્સોમીટર પણ તમારી સાથે રાખો.

જે લોકો બીપી અને ડાયાબિટીસના દર્દીઓ છે. તેમણે પોતાની રેગ્યુલર દવાઓ સાથે રાખવી. જે લોકોને ડાયાબિટીસ છે તેમણે બ્લડ શુગર ચેક કરવાનું મશીન સાથે રાખવું જરુરી છે. તેમજ વધારે ઓયલી કે મસાલેદાર ફુડથી દુર રહો.

સાંધાના દુખાવો જે મુસાફરોને છે તેમને ચારધામની યાત્રામાં ઉંચાઈ પર લાંબા સમય સુધી ચાલવામાં મુશ્કેલી થઈ શકે છે. એટલા માટે ટ્રેકિંગ સ્ટિક, તેમજ સપોર્ટિવ શૂઝ પહેરો અને વચ્ચે વચ્ચે આરામ લો. ભારે વજન ઉઠાવવાનું ટાળો. પુરતી માત્રામાં ઊંઘ લો.

જો તમને મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તેને અવગણશો નહીં અને તાત્કાલિક નજીકના ડૉક્ટરની તબીબી મદદ લો. યાદ રાખો, ભક્તિની સાથે, હેલ્થની સંભાળ પણ મહત્વપૂર્ણ છે જેથી પ્રવાસ સફળ અને સલામત બની શકે.