
શરદી-ઉધરસ: જે વ્યક્તિને શરદી-ઉધરસની તકલીફ હોય તેઓએ ગોળનું સેવન કરવું જોઈએ. ગોળમાં રહેલ ગુણકારી તત્વ શરદી-ઉધરસ ભગાડવામાં ખૂબ ફાયદાકારક છે, શરદી અને કફ હોય તો કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવો જોઈએ. ઉધરસ હોય તો ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાની ખરાશ અને બળતરા દૂર થાય છે.

હાડકાંની શક્તિ વધારે: કેલ્શિયમ અને ફોસ્ફરસ ગોળમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે, તેથી તે હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ અસરકારક છે.

બ્લડ પ્રેશરમાં રાહત: જો કોઈને બ્લડપ્રેશરની સમસ્યા છે, તો ગોળ એ રામબાણ ઈલાજ છે. ગોળનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે.

લોહીની અછત દૂર થશે: ગોળમાં પુષ્કળ પ્રમાણમાં લોહ તત્વ હોય છે, ગોળ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે. ગોળનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્તકણોની માત્રા વધે છે અને એનિમિયા મટે છે.

ત્વચામાં ગ્લો: ગોળ અને દૂધ એક સાથે સેવન કરવાથી ચામડી પર ખુબજ મોટી અસર પડે છે. ત્વચા નરમ થઈ જાય છે, તેનાથી નીખાર આવે છે અને ખીલની સમસ્યા પણ સમાપ્ત થાય છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.
Published On - 8:38 pm, Sat, 16 November 24