
16 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિરોથી લઈને બજારો સુધી બધું જ જીવંત છે. જન્માષ્ટમી શરૂ થાય તે પહેલાં જ કેટલાક લોકો શ્રી કૃષ્ણના ભજનો વગાડવાનું શરૂ કરી દે છે. તે ભજનો સાંભળ્યા પછી મનમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ પ્રવર્તે છે. હૃદય ઉત્સાહથી ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં અમે તમારા માટે તે પાંચ ગીતો લાવ્યા છીએ જે તમારે આ જન્માષ્ટમી પર સાંભળવા જ જોઈએ. તેમને ગાયા વિના તો જન્માષ્ટમી અધૂરી ગણી શકાય.

છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ: આ ભજનમાં કાન્હાજીની સરખામણી ગાયો સાથે કરી છે. ગાય ઘાસ ખાય છે તો કાન્હાજી માખણ ખાય છે તેમજ ગાયની છાસ અને દૂધ કાન્હાજી પીવે છે અને નાના મધુવન બાગમાં નાની ગોપીઓ સાથે કનૈયો રાસ રમે છે. એવા ગુણ ગાવામાં આવ્યા છે.

શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા: આ ભજન ટીવી પર આવતી એક સિરિયલનું છે. તેમાં વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે.

ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો: આ ભજનમાં કનૈયાનું એક નામ ગોવિંદ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓ કાન્હા અબ તો મુરલી કી: આ ગીત સ્ટાર પ્લસની સિરિયલ રિસ્તા ક્યા કહેલાતા હૈનું છે. તેમાં ભક્ત કનૈયાને વાંસળી વગાડવાનું કહે છે અને પોતના દુ:ખ હરવાનું કહે છે.

કૌન કહેતે હૈ ભગવાન આતે નહીં: આ ગીતનો ભાવ ખુબ જ સરસ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તમે નરસિંહ મહેતા તેમજ મીરાંબાઈની જેમ રાખશો તો ભગવાન તરત દોડીને આવશે.