
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પણ જામનગરનો ઈતિહાસ મહત્વનો રહ્યો છે. આ શહેરના લોકોએ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને બ્રિટિશ સામ્રાજ્ય સામે લડત આપી હતી.

જામનગર આ દિવસોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનને લઈને ચર્ચામાં છે. મહત્વનું છે કે ગુજરાતનો આ એક સમુદ્ર વિસ્તાર છે, જે રોમેન્ટિક વેકેશન માટે યોગ્ય છે.

જામનગરમાં જો તમે માર્ચ મહિનામાં જવાના હોવ તો અહીંના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા મરીન નેશનલ પાર્કની મુલાકાત તમારે લેવી જોઈએ. તમને જણાવી દઈએ કે આ દેશનો પહેલો મરીન પાર્ક છે જે લગભગ 458 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ પણ આવે છે. જેણે કારણે અંહી સવાર અને સાંજ એક દમ રમણીય લાગે છે.

એક તરફ સફેદ દરિયાઈ રેતી અને બીજી બાજુ વાદળી સમુદ્ર જામનગરને ખૂબ જ આકર્ષક બનાવે છે. બેચલેટ બીચ પર સનસેટ આને સનરાઇસ ને જોવા લોકો ખાસ કરીને આવે છે અને પોતાનો સમય પસાર કરે છે. અહીંનું શાંતિપૂર્ણ વાતાવરણ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે.

જો તમારે લાખોટા પેલેસની સુંદરતા જોવી હોય તો સાંજ પડ્યે અહીં પહોંચી જાઓ. અહીં ઝગમગતી લાઈટોમાં તળાવ અને મહેલ બંને મોહિત કરે છે. આ મહેલ 19મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યો હતો, જેનું સ્થાપત્ય ખરેખર અદ્ભુત છે.

કચ્છના અખાત પર આવેલું આ ખીજડિયા પક્ષી અભયારણ્ય તેના તાજા અને ખારા પાણી માટે જાણીતું છે. આ તાજા પાણીનું તળાવ છે જ્યાં દર વર્ષે હજારો પ્રવાસી પક્ષીઓ સંવર્ધન માટે આવે છે. જો તમે પક્ષી પ્રેમી છો તો આ સ્થળની અવશ્ય મુલાકાત લો.

1907 અને 1915 ની વચ્ચે જામ રણજીત સિંહ દ્વારા પ્રતાપ વિલાસ પેલેસ બનાવવામાં આવ્યો હતો, જે આજે રેલ્વે સ્ટેશનથી લગભગ 2 કિલોમીટરના અંતરે હાજર છે. આ મહેલનું સ્થાપત્ય પ્રવાસીઓને આકર્ષે છે. તમે આ મહેલની સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી મુલાકાત લઈ શકો છો.