
ધનખડના રાજીનામા બાદ ચૂંટણી પંચ હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યો છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજીનામાની સત્તાવાર જાણકારી આપ્યા બાદ ચૂંટણીઓ અંગેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે અને બ્રિટન તથા માલદીવની મુલાકાતે ગયા છે. એવું મનાય છે કે વડાપ્રધાનની વાપસી પછી જ નવા ઉપરાષ્ટ્રપતિ માટે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. શાસક પક્ષમાં ઉમેદવારના નામોને લઈને આંતરિક ચર્ચા શરૂ થઈ ગઈ છે.
Published On - 9:58 pm, Wed, 23 July 25