
મંદિરના પ્રવેશદ્વાર પર લાલ કપડાનો વિશાળ ડોમ ઊભો કરવામાં આવ્યો છે.

જેમાં ઝુમ્મર, ફૂલોની ડિઝાઈન અને રંગીન લાઈટિંગથી વિશેષ શણગાર થયો છે. સમગ્ર માર્ગ અને મંદિર પરિસર રંગીન રોશની ઝગારા મારી રહ્યો છે.

આ વર્ષે રણછોડરાયજી મંદિરમાં પ્રથમવાર ભગવાન જગન્નાથને 56 પ્રકારના ભોગ ધરાવવામાં આવશે. વિવિધ મીઠાઇઓ, ફળો અને પારંપરિક વાનગીઓ સાથે તૈયાર કરાયેલા આ ભોગને લઈને ભક્તોમાં ખાસ ઉત્સાહ છે.

મોસાળના મંદિર પરિસરમાં 11 જૂનથી 26 જૂન સુધી વિવિધ ભજન મંડળો દ્વારા ભજન-કીર્તનના કાર્યક્રમો યોજાશે. ભાવભીનાં ભજનો અને ઘૂન સાથે ભક્તો રાત્રિના સમયે ભજનોની રમઝટ બોલાવી વ્હાલાના વધામણા કરશે.

નાથની નગરચર્યામાં શોભામાં અભિવૃદ્ધિ કરતા ગજરાજને શણગારવાની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે.
Published On - 10:08 pm, Tue, 10 June 25