
વડાપ્રધાન મોદીએ વધતા વિદેશી હુંડિયામણના દબાણને ઘટાડવા માટે નાગરિકોને 1 વર્ષ સોનું ન ખરીદવા વિનંતી કરી છે, પરંતુ આ માત્ર આર્થિક અપીલ છે, કાયદો નથી.

ભારત તેની જરૂરિયાતનું 90% સોનું વિદેશથી મંગાવે છે. પીએમની આ અપીલ પાછળનો મુખ્ય હેતુ ડોલરના ભંડારને બચાવવા અને રૂપિયાને મજબૂત કરવાનો છે.

ભારતીય કાયદા મુજબ, નાગરિકો આજે પણ સોનું, સિક્કા કે ડિજિટલ ગોલ્ડ ખરીદવા માટે સંપૂર્ણ આઝાદ છે. આમાં કોઈ ગુનાહિત કાર્યવાહી થતી નથી.

સોનું ખરીદવું ગુનો નથી, પણ તેના માટે વાપરેલા નાણાં ક્યાંથી આવ્યા તેનો હિસાબ હોવો જરૂરી છે. કાળું નાણું સોનામાં રોકાણ ન થાય તે માટે સરકાર સતર્ક છે.

જો તમારી પાસે પાકા બિલ હોય, તો ગમે તેટલું સોનું રાખી શકાય છે. પરંતુ પુરાવા વગર પણ અમુક મર્યાદા સુધી છૂટ મળે છે.

ઇનકમ ટેક્સના નિયમ મુજબ, પરિણીત મહિલા 500 ગ્રામ, અપરિણીત મહિલા 250 ગ્રામ અને પુરુષ 100 ગ્રામ સોનું પુરાવા વગર પણ રાખી શકે છે.

જો તમે સોનું ખરીદવા માટે વપરાયેલા નાણાંનો સ્ત્રોત (Source of Income) સાબિત ન કરી શકો, તો ટેક્સ અધિકારીઓ તેના પર તોતિંગ દંડ અને ટેક્સ વસૂલી શકે છે.