
આ પ્રસંગે વિશાલ ચિરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલ ચિરીપાલ જણાવ્યું હતું કે સામાજિક રીતે જવાબદાર બનવું અને સમાજનું રુણ ચુકવવુ એ આપણી મહત્વપૂર્ણ ફરજ છે.

ડો. રોહિત સિંઘ, ડાયરેક્ટર - સેન્ટર ઓફ મેનેજમેન્ટ એજ્યુકેશન, ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) અને સિદ્ધાર્થ નાંગિયા, સહ-સ્થાપક સ્મિટેન ગેસ્ટ ઓફ ઓનર હતા. તેમના સંબોધનમાં, રોહિત સિંહે જીવનમાં વિઝનના મહત્વ અને દરેક પસાર થતા દિવસ સાથે સેલ્ફ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો હતો.

સિદ્ધાર્થ નાંગિયાએ જણાવ્યું હતું કે તમારા નિયમિત કામકાજની સાથે તમે કેવા પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ થાઓ છો તે તમારા આગળનું જીવન નક્કી કરે છે, આપણી આદતો ખરેખર આપણા જીવનની રૂપરેખા બનાવે છે. વક્તા નિશિત સાયગલ, S&S સુપર બ્રાન્ડ્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અને ડૉ. હિમાંશુ બુચ, ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર અને ઝેન કોચે ઊર્જા, જુસ્સો અને સતત વાંચન દ્વારા જીવનને સ્થિતિસ્થાપક બનાવવા વિશે વાત કરી.

એક સપ્તાહના આ ઇન્ડક્શન પ્રોગ્રામ "સક્ષમ"માં વિવિધ પ્રવૃત્તિઓનો જેમ કે ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ સેશન્સ, ટીમ બિલ્ડિંગ એક્ટિવિટીસ, લર્નિંગ થ્રૂ ડ્રામા એન્ડ થીએટર, મેન્ટલ એન્ડ ફિઝિકલ ફિટનેસ સેશન્સ, અમદાવાદ સિટી હેરિટેજ ટૂર અને બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનની સહાયથી સામાજિક સંવેદના જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.