
ભારતની સેન્ટ્રલ બેંક (RBI) પાસે સત્તાવાર રીતે ભલે 880 ટન સોનું હોય, પણ અસલી ખજાનો તો અદ્રશ્ય છે. સુપરપાવર અમેરિકા પાસે 8,931 ટન સોનું છે, જ્યારે ભારતની ગુપ્ત તાકાત તેનાથી 3 ગણી વધારે છે!

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક રિપોર્ટે દુનિયાને હચમચાવી દીધી છે. ભારતીય ઘરોમાં 25,000 ટન અને મંદિરોના ભોંયરામાં અંદાજિત 5,000 ટન સોનું રાખેલું છે, જે સત્તાવાર અર્થતંત્રના રડારની બહાર છે.

ઈરાન યુદ્ધ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે પીએમ મોદીએ દેશવાસીઓને સોનું ન ખરીદવા માટે ખાસ અપીલ કરવી પડી છે. આ પાછળ વિદેશી હૂંડિયામણ બચાવવાનો મોટો ગેમપ્લાન છે.

ભારત દર વર્ષે 700 થી 800 ટન સોનું વિદેશથી આયાત કરે છે, જેના માટે 72 અબજ ડોલર જેટલી જંગી રકમ બહાર મોકલવી પડે છે. આ જ ખર્ચ દેશની આર્થિક કમર તોડી રહ્યો છે.

પ્રોફેસર બર્ટન સ્ટીનના રિસર્ચ મુજબ ભારતની ખરી તાકાત તેના મંદિરો છે. જો આ સોનું દેશના કામમાં આવે, તો ભારતને કોઈ હરાવી શકે તેમ નથી.

ભારતના એ પાંચ મંદિરો જ્યાં સોનાનો પહાડ છે: પદ્મનાભ સ્વામી મંદિર (કેરળ): અંદાજે 1300 ટન સોનું!, તિરૂપતિ બાલાજી (આંધ્રપ્રદેશ): લગભગ 11,329 કિલો સોનું!, શિરડી સાંઈ મંદિર: 380 કિલોગ્રામ શુદ્ધ સોનું!, મીનાક્ષી મંદિર (મદુરાઈ): અંદાજે 300 કિલો સોનું!, જગન્નાથ મંદિર (ઓડિશા): 150 કિલો સોનાનો ખજાનો!

જો આ ખજાનો બહાર આવે તો? જો મંદિરો આ સોનું સરકારની વિશેષ સ્કીમમાં રોકાણ તરીકે મૂકે, તો ભારતનું સત્તાવાર ગોલ્ડ રિઝર્વ સીધું 4,880 ટન થઈ જશે. અને જો ઘરોનું સોનું ઉમેરાય તો આ આંકડો 30,000 ટન પાર થઈ જશે!

7 વર્ષ સુધી આયાત પર કમ્પ્લીટ બેન! જો આ સોનું 'ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ' હેઠળ દેશની મુખ્ય સિસ્ટમમાં આવી જાય, તો ભારતને આગામી 6 થી 7 વર્ષ સુધી વિદેશમાંથી એક ગ્રામ પણ સોનું ખરીદવાની જરૂર નહીં પડે.

વિદેશથી સોનું ખરીદવાનું બંધ થતાં જ ભારત દેશના અબજો રૂપિયા (આશરે 500 થી 550 અબજ ડોલર) બચાવી લેશે. આ એ પૈસા છે જે દેશની અંદર જ રહેશે અને રૂપિયો મજબૂત બનશે.

આ કોઈ કલ્પના નથી! 1965ના યુદ્ધ અને આર્થિક સંકટ સમયે તિરૂપતિ મંદિરે 125 કિલો સોનું દેશને આપ્યું હતું. તાજેતરમાં 2025માં તમિલનાડુના 21 મંદિરોએ 1,000 કિલો સોનું આપ્યું, જેનાથી સરકારને દર વર્ષે 18 અબજ રૂપિયાનું વ્યાજ મળી રહ્યું છે!
Published On - 2:54 pm, Wed, 20 May 26