Western Train Update: ગુજરાતના લોકો માટે ટ્રેનનું અપડેટ, આટલી ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં થયા છે ફેરફાર

|

Mar 31, 2024 | 2:45 PM

અમદાવાદ સ્ટેશનને નવજીવન આપવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે ફરીથી રિનોવેશન કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ અથવા સાબરમતી ખસેડવામાં આવી રહી છે.

1 / 5
ટર્મિનલ્સમાં આ ફેરફાર કામગીરીમાં સગવડ વધારશે, અમદાવાદ સ્ટેશન પર મુસાફરોની ભીડ ઘટાડશે, પેસેન્જર સેવાઓને વધારવા અને અપગ્રેડ કરવામાં મદદ કરશે અને અમદાવાદ શહેર વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ઝડપી અમલને સક્ષમ કરશે.

ટર્મિનલ્સમાં આ ફેરફાર કામગીરીમાં સગવડ વધારશે, અમદાવાદ સ્ટેશન પર મુસાફરોની ભીડ ઘટાડશે, પેસેન્જર સેવાઓને વધારવા અને અપગ્રેડ કરવામાં મદદ કરશે અને અમદાવાદ શહેર વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ઝડપી અમલને સક્ષમ કરશે.

2 / 5
કેટલીક ટ્રેનોના ટર્મિનલને સાબરમતી જ્યારે કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવ્યા છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. લાગુ પડતી ટ્રેનોની વિગતો અને સમય નીચે મુજબ છે.

કેટલીક ટ્રેનોના ટર્મિનલને સાબરમતી જ્યારે કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવ્યા છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. લાગુ પડતી ટ્રેનોની વિગતો અને સમય નીચે મુજબ છે.

3 / 5
અમદાવાદથી સાબરમતી તરફ ટ્રેનો ખસેડવામાં આવી : (1) ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સાપ્તાહિક એક્સપ્રેસનું ટર્મિનલ 31મી માર્ચ, 2024થી સાબરમતી ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 20.45 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે છેલ્લો સ્ટોપ લેશે અને 21.30 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

અમદાવાદથી સાબરમતી તરફ ટ્રેનો ખસેડવામાં આવી : (1) ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સાપ્તાહિક એક્સપ્રેસનું ટર્મિનલ 31મી માર્ચ, 2024થી સાબરમતી ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 20.45 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે છેલ્લો સ્ટોપ લેશે અને 21.30 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

4 / 5
(2)  ટ્રેન નંબર-19401 અમદાવાદ-લખનઉ સાપ્તાહિક એક્સપ્રેસનું ટર્મિનલ 01 એપ્રિલ 2024 થી સાબરમતી ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 10.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19402 લખનઉ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે પૂર્ણ થશે અને 23.20 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

(2) ટ્રેન નંબર-19401 અમદાવાદ-લખનઉ સાપ્તાહિક એક્સપ્રેસનું ટર્મિનલ 01 એપ્રિલ 2024 થી સાબરમતી ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 10.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19402 લખનઉ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે પૂર્ણ થશે અને 23.20 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

5 / 5
(3) ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસનું ટર્મિનલ 07 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 19.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 12958 નવી દિલ્હી-અમદાવાદ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 06 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે છેલ્લું સ્ટોપ રહેશે અને 08.05 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

(3) ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસનું ટર્મિનલ 07 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે ખસેડવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 19.05 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 12958 નવી દિલ્હી-અમદાવાદ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 06 એપ્રિલ, 2024 થી સાબરમતી ખાતે છેલ્લું સ્ટોપ રહેશે અને 08.05 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે.

Next Photo Gallery