
સચિન શ્રોફે 2023માં ચાંદની કોઠી સાથે લગ્ન કર્યા છે. તેમણે લગ્ન ખૂબ જ પ્રાઈવેટ રાખ્યા હતા અને ફક્ત નજીકના લોકો જ તેમાં સામેલ થયા. આજે આપણે સચિન શ્રોફના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

સચિન શ્રોફનો જન્મ 17 ડિસેમ્બર 1779ના રોજ થયો છે. તે એક ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા છે. તેણે હર ઘર કુછ કહેતા હૈમાં જ્ઞાન અને નાગીનકી અગ્નિપરીક્ષામાં અર્જુનની ભૂમિકા ભજવી હતી.

સચિન શ્રોફનો પરિવાર જુઓ

સચિન શ્રોફે અનેક ટીવી સિરીયલમાં કામ કર્યું છે. જેમાં સિંદુર તેરે નામ કા, સાત ફેરે – સલોની કા સફર, નામ ગમ જાયેગા, શગુન, વિશ્વાસ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સમાવેશ થાય છે

સચિન શ્રોફે 15 ફેબ્રુઆરી 2009ના રોજ જયપુરના એક મહેલમાં ટેલિવિઝન અભિનેત્રી જુહી પરમાર સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને એક પુત્રી છે, જેનો જન્મ 27 જાન્યુઆરી 2013ના રોજ થયો હતો.

જાન્યુઆરી 2018ની શરૂઆતમાં જુહી પરમારે પુષ્ટિ આપી હતી કે, તેમણે છૂટાછેડા માટે અરજી કરી છે, જેને જુલાઈ 2018માં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. પરમારને તેમની પુત્રીની કસ્ટડી આપવામાં આવી હતી.

શૈલેશ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષ 2022માં છોડ્યો હતો. ત્યારબાદ તેનું સ્થાન સચિન શ્રોફે લીધું હતુ. તેમણે 25 ફેબ્રુઆરી 2023ના રોજ ચાંદની કોઠી સાથે લગ્ન કર્યા છે.

રિપોર્ટ અનુસાર અભિનેતાને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક એપિસોડ માટે અંદાજે 30,000 રુપિયા મળે છે. સચિન શ્રોફની ફી શૈલેશ લોઢાની તુલનામાં ઓછી છે.

સચિન શ્રોફ બોલિવૂડ ફિલ્મો "દસવી" અને "ડબલ એક્સએલ" માં પણ જોવા મળ્યા છે.

તેમણે ઓટીટી ફિલ્મ "આશ્રમ" માં અભિનય કર્યો હતો. હાલમાં, તેઓ ટીવી શો "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં નવા તારક મહેતાની ભૂમિકા ભજવે છે.

સચિન શ્રોફનું ટીવી કરિયર શાનદાર છે. સાથે બિઝનેસમાં પણ આગળ છે. રિપોર્ટ મુજબ સચિનને રિયલ એસ્ટેટનો પણ બિઝનેસ છે.

સચિન જેટલો સારો અભિનેતા છે, તેટલો જ તેનું વ્યક્તિત્વ પણ મોહક છે.

એટલા માટે તેની પાસે એક મજબૂત મહિલા ચાહક વર્ગ છે. કોઈપણ વ્યક્તિ તેની સ્મિતથી પ્રેમમાં પડી શકે છે.