Breaking News : ધડામ થયું બજાર.. 26 મહિના બાદ Sensex 72,000 ની નીચે, જાણો માર્કેટ તૂટવાના 5 મોટા કારણ

ભારતીય શેરબજારમાં 26 મહિના પછી સેન્સેક્સ 72,000 નીચે બંધ થયો છે, જેનાથી રોકાણકારોને 9.43 લાખ કરોડનું મોટું નુકસાન થયું છે. આ ઘટાડા પાછળ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો, વિદેશી રોકાણકારોની વેચવાલી સહિતના અનેક કારણો છે.

| Updated on: Mar 30, 2026 | 4:48 PM
1 / 8
ભારતીય શેરબજારમાં ભારે નુકસાન જોવઆ મળી રહ્યું છે. 30 માર્ચના રોજ સેન્સેક્સ અને નિફ્ટી બંને પર સતત બીજા દિવસે ભારે વેચાવલીનું દબાણ રહ્યું. પરિણામે સેન્સેક્સ 1,635.67 પોઈન્ટ (2.22%) ઘટીને 71,947.55 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 488.20 પોઈન્ટ (2.14%) ઘટીને 22,331.40 પર બંધ થયો. આ સાથે જ લગભગ 26 મહિનાઓ પછી પહેલી વાર સેન્સેક્સ 72 હજારની નીચે બંધ થયો છે. આ મોટા પડકારને કારણે રોકાણકારોને કુલ 9.43 લાખ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું.

ભારતીય શેરબજારમાં ભારે નુકસાન જોવઆ મળી રહ્યું છે. 30 માર્ચના રોજ સેન્સેક્સ અને નિફ્ટી બંને પર સતત બીજા દિવસે ભારે વેચાવલીનું દબાણ રહ્યું. પરિણામે સેન્સેક્સ 1,635.67 પોઈન્ટ (2.22%) ઘટીને 71,947.55 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 488.20 પોઈન્ટ (2.14%) ઘટીને 22,331.40 પર બંધ થયો. આ સાથે જ લગભગ 26 મહિનાઓ પછી પહેલી વાર સેન્સેક્સ 72 હજારની નીચે બંધ થયો છે. આ મોટા પડકારને કારણે રોકાણકારોને કુલ 9.43 લાખ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું.

2 / 8
માર્ચ મહિનામાં બજારમાં મોટી મંદી નોંધાઈ છે. નિફ્ટી 50 અને સેન્સેક્સ બંનેમાં લગભગ 10.5% જેટલો ઘટાડો નોંધાયો છે. COVID-19 બાદ માર્ચ 2020માં જોવા મળેલી ભારે ગિરાવટ પછી આ સૌથી ખરાબ પ્રદર્શન ગણાય છે. બજારમાં આ નબળાઈ માટે મુખ્ય કારણ તરીકે કાચા તેલની વધતી કિંમતો અને વિદેશી રોકાણકારો દ્વારા થયેલી મોટી મૂડી બહાર નીકળવાનું કારણ માનવામાં આવે છે.

માર્ચ મહિનામાં બજારમાં મોટી મંદી નોંધાઈ છે. નિફ્ટી 50 અને સેન્સેક્સ બંનેમાં લગભગ 10.5% જેટલો ઘટાડો નોંધાયો છે. COVID-19 બાદ માર્ચ 2020માં જોવા મળેલી ભારે ગિરાવટ પછી આ સૌથી ખરાબ પ્રદર્શન ગણાય છે. બજારમાં આ નબળાઈ માટે મુખ્ય કારણ તરીકે કાચા તેલની વધતી કિંમતો અને વિદેશી રોકાણકારો દ્વારા થયેલી મોટી મૂડી બહાર નીકળવાનું કારણ માનવામાં આવે છે.

3 / 8
આર્થિક વર્ષ 2026 પણ હવે પૂર્ણ થવાના આરે છે અને બજારનું પ્રદર્શન FY2020 પછીનું સૌથી નબળું જોવા મળી રહ્યું છે. ભારત-પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ, અમેરિકાની સાથેના વેપારને લઈને અનિશ્ચિતતા અને ઈરાન સાથેના સંઘર્ષ જેવી વૈશ્વિક પરિસ્થિતિઓએ પણ બજારના સેન્ટિમેન્ટને અસર કરી છે. સાથે જ વિદેશી રોકાણકારો સતત ભારતીય બજારમાંથી પૈસા કાઢી રહ્યા છે, જેના કારણે વધુ દબાણ સર્જાયું છે.

આર્થિક વર્ષ 2026 પણ હવે પૂર્ણ થવાના આરે છે અને બજારનું પ્રદર્શન FY2020 પછીનું સૌથી નબળું જોવા મળી રહ્યું છે. ભારત-પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ, અમેરિકાની સાથેના વેપારને લઈને અનિશ્ચિતતા અને ઈરાન સાથેના સંઘર્ષ જેવી વૈશ્વિક પરિસ્થિતિઓએ પણ બજારના સેન્ટિમેન્ટને અસર કરી છે. સાથે જ વિદેશી રોકાણકારો સતત ભારતીય બજારમાંથી પૈસા કાઢી રહ્યા છે, જેના કારણે વધુ દબાણ સર્જાયું છે.

4 / 8
મિડલ ઈસ્ટમાં વધતા તણાવના કારણે કાચા તેલની કિંમતોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 115 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જ્યારે WTI ક્રૂડ પણ 100 ડોલર પાર થઈ ગયો છે. જો ઈરાન સંઘર્ષ લાંબો ચાલે અને હોર્મુઝ જળમાર્ગ બંધ થાય, તો તેલની કિંમતો 200 ડોલર સુધી જઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મિડલ ઈસ્ટમાં વધતા તણાવના કારણે કાચા તેલની કિંમતોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 115 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જ્યારે WTI ક્રૂડ પણ 100 ડોલર પાર થઈ ગયો છે. જો ઈરાન સંઘર્ષ લાંબો ચાલે અને હોર્મુઝ જળમાર્ગ બંધ થાય, તો તેલની કિંમતો 200 ડોલર સુધી જઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

5 / 8
ભારતીય રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણયોના કારણે બેન્કિંગ સેક્ટર પર પણ નકારાત્મક અસર જોવા મળી છે. બેન્કોને તેમના વિદેશી ચલણ સંબંધિત પોઝિશન મર્યાદિત રાખવા સૂચના આપવામાં આવી છે, જેના કારણે બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી થઈ છે. આ પગલાએ રૂપિયા પર થોડો નિયંત્રણ લાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ બજાર પર તેનો વિપરીત પ્રભાવ પડ્યો છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણયોના કારણે બેન્કિંગ સેક્ટર પર પણ નકારાત્મક અસર જોવા મળી છે. બેન્કોને તેમના વિદેશી ચલણ સંબંધિત પોઝિશન મર્યાદિત રાખવા સૂચના આપવામાં આવી છે, જેના કારણે બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી થઈ છે. આ પગલાએ રૂપિયા પર થોડો નિયંત્રણ લાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ બજાર પર તેનો વિપરીત પ્રભાવ પડ્યો છે.

6 / 8
વિદેશી રોકાણકારોની સતત વેચવાલી પણ બજાર માટે ચિંતાનો વિષય બની છે. છેલ્લા ઘણા સત્રોથી FII સતત નેટ સેલર રહ્યા છે, જેના કારણે બજારમાં વિશ્વાસ ઓછો થયો છે. માત્ર એક જ દિવસે વિદેશી રોકાણકારોએ હજારો કરોડ રૂપિયાના શેર વેચી નાખ્યા છે.

વિદેશી રોકાણકારોની સતત વેચવાલી પણ બજાર માટે ચિંતાનો વિષય બની છે. છેલ્લા ઘણા સત્રોથી FII સતત નેટ સેલર રહ્યા છે, જેના કારણે બજારમાં વિશ્વાસ ઓછો થયો છે. માત્ર એક જ દિવસે વિદેશી રોકાણકારોએ હજારો કરોડ રૂપિયાના શેર વેચી નાખ્યા છે.

7 / 8
આ બધાની વચ્ચે રૂપિયા પણ ભારે દબાણમાં આવી ગયો છે. ડોલર સામે રૂપિયા પહેલી વાર 95ના ઐતિહાસિક સ્તર પાર કરી ગયો છે. નિષ્ણાતોના મતે, તેલની વધતી કિંમતો અને વિદેશી મૂડીની બહાર નીકળવાની પ્રક્રિયા રૂપિયા પર વધુ દબાણ ઉભું કરી રહી છે.

આ બધાની વચ્ચે રૂપિયા પણ ભારે દબાણમાં આવી ગયો છે. ડોલર સામે રૂપિયા પહેલી વાર 95ના ઐતિહાસિક સ્તર પાર કરી ગયો છે. નિષ્ણાતોના મતે, તેલની વધતી કિંમતો અને વિદેશી મૂડીની બહાર નીકળવાની પ્રક્રિયા રૂપિયા પર વધુ દબાણ ઉભું કરી રહી છે.

8 / 8
આ ઉપરાંત, નિફ્ટીની માસિક F&O એક્સપાયરીને કારણે પણ બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. સામાન્ય રીતે એક્સપાયરીના દિવસોમાં ટ્રેડર્સ તેમની પોઝિશન બદલતા હોવાથી બજાર વધુ અસ્થિર રહે છે. સમગ્ર પરિસ્થિતિને જોતા એવું કહી શકાય કે વૈશ્વિક અને સ્થાનિક બંને કારણોસર શેરબજારમાં હાલ ભારે અનિશ્ચિતતા અને દબાણનું વાતાવરણ છે, જેના કારણે રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે.

આ ઉપરાંત, નિફ્ટીની માસિક F&O એક્સપાયરીને કારણે પણ બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. સામાન્ય રીતે એક્સપાયરીના દિવસોમાં ટ્રેડર્સ તેમની પોઝિશન બદલતા હોવાથી બજાર વધુ અસ્થિર રહે છે. સમગ્ર પરિસ્થિતિને જોતા એવું કહી શકાય કે વૈશ્વિક અને સ્થાનિક બંને કારણોસર શેરબજારમાં હાલ ભારે અનિશ્ચિતતા અને દબાણનું વાતાવરણ છે, જેના કારણે રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે.

Follow Us