
આ નિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો, મેલ/એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો જેવી બધી ટ્રેનોને લાગુ પડશે.

ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જો કોઈ ટ્રેનમાં 1,000 સીટો હોય, તો મહત્તમ 250 વેઇટલિસ્ટ ટિકિટ જાહેર કરવામાં આવશે. આનાથી મુસાફરોને તેમની ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ તો વધશે જ, પરંતુ ટ્રેનમાં બિનજરૂરી ભીડ પણ ઓછી થશે.

એક વરિષ્ઠ રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર, વેઇટિંગ ટિકિટોની સંખ્યા વધુ હોવાને કારણે, કન્ફર્મ ટિકિટ વિનાના મુસાફરો રિઝર્વ્ડ કોચમાં ચઢતા હતા, જેના કારણે કોચમાં ભીડ થતી હતી. નવી નીતિ આ ભીડને કાબુમાં લેવામાં મદદ કરશે.